મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં અલગ રહેવા માટે જવાની દિકરાએ ના પડતાં માતાએ અનંતની વાટ પકડી


SHARE













મોરબીમાં અલગ રહેવા માટે જવાની દિકરાએ ના પડતાં માતાએ અનંતની વાટ પકડી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ શેર નં-3 માં અવધ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાને તેના દીકરાથી અલગ રહેવા માટે જવું હતું અને દીકરાએ અલગ રહેવા જવા માટેની ના પાડી હતી જેથી વૃદ્ધાને મનોમન લાગી આવ્યું હતું અને તેણે ઘરના બાથરૂમની અંદર ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા જેથી વૃદ્ધાને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવની મૃતકના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટી શેરી નં-3 માં આવેલ અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં- 101 માં રહેતા વનિતાબેન બાબુભાઈ કાંજીયા (59)એ ઘરના બાથરૂમની અંદર ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પતિ બાબુભાઈ શામજીભાઈ કાંજીયા (60) રહે. ચિત્રકૂટ સોસાયટી શેરી નં-3 અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં-101 સનાળા રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધાપોતાના દીકરાથી અલગ રહેવા જવાની જીદ કરી હતી અને તેના દીકરાએ તેને અલગ રહેવા જવાની ના પાડી હતી જેથી વૃદ્ધાને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News