મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે પાસેથી રીક્ષામાં કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવ્યા, મહિલા સહિત બે સામે ગુનો નોંધાયો


SHARE













હળવદના રાડવા ગામે પાસેથી રીક્ષામાં કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવ્યા, મહિલા સહિત બે સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી જેમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર બે પાડાને દોરડાથી બાંધીને લઈ જવામાં આવતા હતા જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ બે વ્યક્તિઓની સામે ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ ઠક્કર (47)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ બચુભાઈ સલાટ (40) રહે. સુંદરગઢ રોડના કાંઠા ઉપર મૂળ રહે. કવાડિયા તાલુકો હળવદ અને હસીબેન રૂપાભાઈ સલાટ (40) રહે. કવાડિયા તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 7174 લઈને બંને આરોપીઓ જઈ રહ્યા હતા દરમિયાન રીક્ષાને ચેક કરતા તેમાં દોરડા વડે બે પાડાને બાંધીને લઈ જતા અને વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈ સગવડ રાખવામાં આવી ન હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુજરાત પશુ કુરતા અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધીને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News