મોરબી નજીક કારખાના પાછળ કુદરતી હાજતે ગયેલ યુવાનનો પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો
વાંકાનેરના ધર્મનગરમાં રહેતી મહિલાએ ઘરમાં જ અંતિમ પગલું ભર્યું
SHARE
વાંકાનેરના ધર્મનગરમાં રહેતી મહિલાએ ઘરમાં જ અંતિમ પગલું ભર્યું
વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગરમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકાર ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગરમાં શ્રીરામ દવાખાના પાછળના ભાગમાં રહેતા જસવંતીબેન નિલેશભાઈ કરગઠિયા (24) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે તેના મૃતદેહને લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તેની આગળની તપાસ પીએસઆઇ વી.કે.મહેશ્વરી ચલાવી રહ્યા છે