લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધર્મનગરમાં રહેતી મહિલાએ ઘરમાં જ અંતિમ પગલું ભર્યું


SHARE











વાંકાનેરના ધર્મનગરમાં રહેતી મહિલાએ ઘરમાં જ અંતિમ પગલું ભર્યું 

વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગરમાં રહેતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકાર ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગરમાં શ્રીરામ દવાખાના પાછળના ભાગમાં રહેતા જસવંતીબેન નિલેશભાઈ કરગઠિયા (24) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે તેના મૃતદેહને લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તેની આગળની તપાસ પીએસઆઇ વી.કે.મહેશ્વરી ચલાવી રહ્યા છે






Latest News