ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરાનો બનાવ : કપડાં સિવાઇ ગયા છે તેમ પૂછતા ખબર નથી તેવો જવાબ આપતા યુવાનને પડ્યો માર..!


SHARE













મોરબીના વીસીપરાનો બનાવ : કપડાં સિવાઇ ગયા છે તેમ પૂછતા ખબર નથી તેવો જવાબ આપતા યુવાનને પડ્યો માર..!

મોરબીના વીસીપરા વિસ્તારમાં નજીવી બાબતે યુવાનને માર પડયો હોવાનું જાણવા મળે છે. મળતી વિગતો મુજબ વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને પૂછવામાં આવ્યું હતું કે કપડાં સિવાઇ ગયા છે..? ત્યારે તે યુવાનને ખબર ન હોય તેણે કહ્યું હતું કે મને જાણ નથી. તેથી ઉશ્કેરાઇ જઇને બે લોકોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હોવાનું જાણવા મળેલ છે. જેથી ભોગ બનેલ મેહુલ તેજાભાઇ અગેચાણીયા કોળી (૪૩) રહે. વીસીપરા વાડી વિસ્તારમાં રહેતા યુવાનને સારવાર માટે લઇ જવાયો હતો બાદમાં મેહુલ કોળીએ તે વિસ્તારમાં જ દશામાઁના મંદિર પાસે રહેતા કિરીટ બાબુ અગેચાણીયા અને બલુ બાબુ અગેચાણીયા નામમાં બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ પૈકીના કિરીટે તેમને પૂછ્યું હતું કે કપડાં સિવાય ગયા છે..? જેથી પોતાને જાણ ન હોવાનું કહ્યું હતું તેથી ઉશ્કેરાઈ જઈને કિરીટ અને બલુએ તેઓને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ચોરીના ગુનામાં રાઉન્ડઅપ 

મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા મુસ્તાક નજીરમહંમદ સંઘવાણી મિંયાણા (૩૦) ધંધો ડ્રાઇવિંગ નામના યુવાનને દસાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.જે.શુકલ દ્વારા ચોરીના ગુનામાં તપાસ અર્થે સીથે લઇ જવામાં આવેલ હોવાનું મોરબી પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

 

ફિનાઇલ પી લેતા સારવારમાં 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા મીરાપાર્ક વિસ્તારમાં રહેતા કિશનગિરિ અશોકગિરિ ગોસાઇ નામના ૨૬ વર્ષના યુવાને ઘુંટુરોડ એંજલ સિરામિક નજીક ફીનાઇલ પી લેતા તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ચિરાગ નાનજી ચાવડા નામના ૨૨ વર્ષના યુવાને પણ કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News