મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરાનો બનાવ : કપડાં સિવાઇ ગયા છે તેમ પૂછતા ખબર નથી તેવો જવાબ આપતા યુવાનને પડ્યો માર..!


SHARE











મોરબીના વીસીપરાનો બનાવ : કપડાં સિવાઇ ગયા છે તેમ પૂછતા ખબર નથી તેવો જવાબ આપતા યુવાનને પડ્યો માર..!

મોરબીના વીસીપરા વિસ્તારમાં નજીવી બાબતે યુવાનને માર પડયો હોવાનું જાણવા મળે છે. મળતી વિગતો મુજબ વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને પૂછવામાં આવ્યું હતું કે કપડાં સિવાઇ ગયા છે..? ત્યારે તે યુવાનને ખબર ન હોય તેણે કહ્યું હતું કે મને જાણ નથી. તેથી ઉશ્કેરાઇ જઇને બે લોકોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હોવાનું જાણવા મળેલ છે. જેથી ભોગ બનેલ મેહુલ તેજાભાઇ અગેચાણીયા કોળી (૪૩) રહે. વીસીપરા વાડી વિસ્તારમાં રહેતા યુવાનને સારવાર માટે લઇ જવાયો હતો બાદમાં મેહુલ કોળીએ તે વિસ્તારમાં જ દશામાઁના મંદિર પાસે રહેતા કિરીટ બાબુ અગેચાણીયા અને બલુ બાબુ અગેચાણીયા નામમાં બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ પૈકીના કિરીટે તેમને પૂછ્યું હતું કે કપડાં સિવાય ગયા છે..? જેથી પોતાને જાણ ન હોવાનું કહ્યું હતું તેથી ઉશ્કેરાઈ જઈને કિરીટ અને બલુએ તેઓને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ચોરીના ગુનામાં રાઉન્ડઅપ 

મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા મુસ્તાક નજીરમહંમદ સંઘવાણી મિંયાણા (૩૦) ધંધો ડ્રાઇવિંગ નામના યુવાનને દસાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.જે.શુકલ દ્વારા ચોરીના ગુનામાં તપાસ અર્થે સીથે લઇ જવામાં આવેલ હોવાનું મોરબી પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

 

ફિનાઇલ પી લેતા સારવારમાં 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા મીરાપાર્ક વિસ્તારમાં રહેતા કિશનગિરિ અશોકગિરિ ગોસાઇ નામના ૨૬ વર્ષના યુવાને ઘુંટુરોડ એંજલ સિરામિક નજીક ફીનાઇલ પી લેતા તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ચિરાગ નાનજી ચાવડા નામના ૨૨ વર્ષના યુવાને પણ કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News