મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : કારખાનામાં કેમ આવ્યો કહીને યુવાન ઉપર ત્રણ લોકોને હુમલો


SHARE











મોરબી : કારખાનામાં કેમ આવ્યો કહીને યુવાન ઉપર ત્રણ લોકોને હુમલો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર પાસે આવેલ સિરામિક યુનિટમાં કેમ આવ્યો તેમ કહીને યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવા પામી છે.

હાલ બી ડીવીજન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના પાડા પુલ નીચે નદીના પટમાં રહેતો હરેશ રાજુ દંતાલીયા જાતે દેવીપૂજક નામનો ૨૬ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસે કલ્યાણ સીરામીકમાં હયો હતો ત્યાં તેને "અહીં કારખાનામાં કેમ આવ્યો છો..?" તેમ કહીને વિરેન્દ્રસિંહ સોઢા, ભમરસિંગ રાવત અને વિશાલ ડોડીયા નામના ત્રણ લોકોએ હરેશને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી સારવાર લીધા બાદ હરેશ દેવીપુજકે ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના એ.આર.ઝાપડીયાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

 

યુવાન સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો વિજય ચકુભાઈ સોલંકી નામનો ૩૫ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ કારણોસર ટાઇલ્સ ક્લીનર (લાઇઝોલ) પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયો હતો બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ વશરામભાઇ મેતાએ તપાસ શરૂ કરી હતી.જ્યારે મોરબીના સુરજબાદની પાસે જાહેરમાં આવતા જતા લોકો પાસેથી વરલી જુગારના આંકડા લખીને વરલી જુગાર રમતા અને રમાડતા મહંમદ હસન સુમરા જાતે સંધી (૩૨) રહે.વનાળીયા તા.મોરબી વાળાની રોકડા રૂપિયા છસો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News