મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાઇ: સામુહિક આયંબિલ ઓળીનુ આયોજન


SHARE















મોરબીમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાઇ: સામુહિક આયંબિલ ઓળીનુ આયોજન

મોરબી ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજીત સામૂહિક આયંબિલ ઓળીમાં ચારેય ફીરકાના જૈન ભાઇઓ તથા બહેનો તેમજ બાળકો, યુવાનો ખુબ જ મોટી સંખ્યામાં દરરોજ ૪૩૦ થી ૪૯૦ સુધીની સંખ્યામાં સુખ શાતા પૂર્વક આયંબિલ કરી રહ્યા છે.

ગઇકાલે મોરબીમાં મોરબીમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને હાલમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજીત સામૂહિક આયંબિલ ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આગેવાનોએ જણાવ્યુ હતું કે, કરવું... કરાવવુ.... કે અનુમોદના કરવીએ ત્રણેયનું ફળ સરખું... એટલે કે આપણે તપ નથી કરી શકતા તો આપણે એ તપની અનુમોદના કરી અને પુણ્યનું ઉપાર્જન કરી શકીએ એ માટે સળંગ ૯ દિવસ ઓળીના તપસ્વીઓના પારણાના દિવસે બહુમાન કરવામા આવશે. તપસ્વીના પારણા તા.  13/ 4 /2025 ને રવિવારના રોજ દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી મોરબીમાંમાં કરાવવામાં આવશે. સમસ્ત જૈન સમાજના આ કાર્યક્રમમાં દરેક જૈન સંઘના ટ્રસ્ટીઓ,  યુવક મંડળ તથા મહિલા મંડળના તેમજ વિવિધ જૈન ગ્રુપના સભ્યો તેમજ સ્વયંમ સેવકો યુવક યુવતીઓ ખુબજ ઉત્સાહ પૂર્વક સારી સેવા આપી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.






Latest News