માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી


SHARE











મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ હુમલો કર્યો હતો તે ઘટનાને મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને વડાપ્રધાન દ્વારા દોષિતોને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ હતો અને નિર્દોષ પ્રવાસી ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરીને પરિવાર સાથે ફરવા માટે આવેલા લોકોમાંથી 26 જેટલા નિર્દોષ પ્રવાસીની હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા છે ત્યારે મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા દ્વારા પ્રત્યેક ભારતવાસી માટે અત્યંત પીડાદાયક આ હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવેલ છે અને હુમલાના બનાવમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને ભગવાન શાંતિ આપે અને તેઓના પરિવારના સભ્યોને દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ ભગવાન આપે તેવી પ્રાર્થના કરેલ છે અને હુમલાની પાછળ જે કોઈ પણ ગુનેગાર હોય તેની સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ જલ્દીથી જલ્દી કાયદાની ભાષામાં જવાબ આપશે અને કાયદાનું ભાન કરાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News