માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ


SHARE











મોરબીમાં જમીનના કેસમાં કરવામાં આવેલ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ

મોરબીમાં જમીનનું બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા દાવો કરવામાં આવેલ હતો જે દાવો કોર્ટે કાઢી નાખેલ હતો ત્યાર બાદ વાદીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપિલ કરી હતી જેની સામે પ્રતિવાદીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે અપિલ પણ રદ કરી નાખેલ છે

મોરબીના વજેપર ના સર્વે નં.-૧૦૫૩ પૈકીની ખેતીની જમીન હે.આરે.ચો.મી.૯૧ પૈકી ની ૨૦% ની જમીન ભગવાનજી રામજીભાઈ ડાભી પાસેથી અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદનો અમલ કરાવવા મોરબીની કોર્ટમાં દી.કેશ.નં. ૬૦/૧૫ થી દાવો કરેલ હતો આ દાવો વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની બેદરકારીના કારણે દાવો કોર્ટે કાઢી નાખેલ (ડી.ડી.કરેલ) જેથી વાદીએ કોર્ટ સમક્ષ તે જ દાવો રીસ્ટોર કરવા માટે દિ.૫.અ.નં. ૩૪/૧૮ થી ફરી દાવો બોર્ડ પર લઈ ચલાવવા માટે અરજી કરેલ હતી પરંતુ તે અરજી પણ રદ કરેલ હતી જેની સામે અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દિ.૫.અપિલ નં.૦૭/૨૦૧૯ થી અપિલ દાખલ કરેલ હતી અને આ અપિલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી એપેલેન્ટ પોતાનો દાવો રીસ્ટોર કરવાની અપિલ પુરવાર કરવામાં નિષ્ફળ જતા વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની અપિલ પણ રદ કરી નાખેલ છે અને ભગવાનજીભાઈ રામજીભાઈ ડાભી તેમજ અશોકભાઈ બાબુભાઈ ભિમાણી વિગેરે-૭ પ્રતિવાદીના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકની દલીલને ધ્યાને લઈ તેમની તરફેણમાં ચુકાદો આપેલ છે. આ કેસમાં પ્રતિવાદીના પક્ષે વકીલ નિકુંજભાઈ કોટક તથા હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, અશોકભાઈ દામાણી તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.






Latest News