લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં તમાકુ મુક્તિ-કેન્સર જાગૃતિ માટે તાલુકાઓમાં સેમીનારનું આયોજન કરાશે


SHARE











મોરબી જીલ્લામાં તમાકુ મુક્તિ-કેન્સર જાગૃતિ માટે તાલુકાઓમાં સેમીનારનું આયોજન કરાશે

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની તમાકુ નિષેધ બાબતે કામગીરી અંગેની બેઠક યોજાઇ હતી.

તમાકુ નિષેધ કામગીરી સંદર્ભે સ્કૂલની આજુબાજુની ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમાકુની દુકાન હોય તે માટે તપાસ કરવામાં આવે છે. જે અન્વયે તમાકુ મુક્ત ઇન્સ્ટિટ્યૂટ હેઠળ ૨૧૪ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. શાળાની આજુબાજુના વિસ્તારમાં તમાકુનું વેચાણ બિલકુલ ચલાવી ન જ લેવાય તે બાબતે ખાસ સુચના કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. જિલ્લામાં કેન્સર તપાસ અને નિદાનની ઝુંબેશ હેઠળ ચાલી રહેલી કામગીરી અન્વયે નિદાન કેમ્પમાં પોઝિટિવ આવેલ દર્દીઓની સારવાર અને તેમની સ્થિતિનું સતત ફોલોઅપ લેવા તેમજ તાલુકાઓમાં તમાકુ મુક્તિ તેમજ કેન્સર જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

સંચારી રોગચાળા અટકાયત અંગેની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની સંચારી રોગચાળા અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળા વિશે સમીક્ષા કરી પાણીજન્ય રોગચાળા અટકાયત માટે પાણીના સંપ પર સઘન ક્લોરીનેશનની કામગીરી વધારવા જણાવવામાં આવ્યું હતું. આગામી વર્ષાઋતુ સંદર્ભે રોગચાળા અટકાયતી કામગીરીનું સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. હિપેટાઇટિસ, ટાઇફોઇડ, કોલેરા સહિતના રોગની જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી પાઇપલાઇન લીકેજ નોંધણી, શોધખોળ અને રીપેરીંગ કામગીરી બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.






Latest News