માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો


SHARE











ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો

ટંકારાના મહેન્દ્રપુર ગામે રહેણાંક પ્લોટોમાં થઈને રસ્તો હતો તેવો દાવો કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતાં વાદી તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હતા અને પ્રતિવાદીના વકીલે કરેલ દલીલ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને ટંકારાની કોર્ટે વાદીનો દાવો નામંજુર કરેલ છે.

ટંકારા તાલુકાના મહેન્દ્રપુરની ખેતીની જમીનમાં જવા- આવવા માટેનો રસ્તો પ્રતિવાદીના બિનખેતી રહેણાંક પ્લોટોમાં થઈને હતો, તે અંગેનો વાદીએ પ્રતિવાદીઓ વિરુધ્ધ કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો દાખલ કરેલ હતો. જે દાવો ટંકારા કોર્ટમાં ચાલી જતા વાદી પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે તેમજ પ્રતિવાદીઓના બિનખેતી પ્લોટીંગમાં કોઈ જ રસ્તો ન હોય, તેવા બચાવ તથા વાદીનો દાવો સી.પી.સી. ઓર્ડર ૭, રૂલ -૧૧ મુજબ ટકવાપાત્ર ન હોય તેવી પ્રતિવાદીના વકીલ અલ્પેશ પી. હાલપરાએ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને સાથે રાખી ધારદાર દલીલ કરી હતી જે દલીલને માન્ય રાખીને ટંકારાના મહે. પ્રિન્સીપાલ સીવીલ જજ સાહેબે વાદીનો દાવો નામંજુર કર્યો છે આ કેસમાં પ્રતિવાદી તરફે મોરબીના યુવા એડવોકેટ અલ્પેશ પી.હાલપરા તથા સુરેશ આર.વાઘાણી રોકાયેલ હતા.






Latest News