મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ


SHARE















મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ

મોરબીના રવાપર ગામના પૂર્વ મહિલા સરપંચના પતિને દીકરીના લગ્ન સમયે રૂપિયાની જરૂર હતી જેથી તેને હાથ ઉછીના 8 લાખ રૂપિયા લીધા હતા અને ત્યાં બાદ વ્યાજખોરે તેની પાસેથી 8 લાખ રૂપિયાની સામે વ્યાજ અને પેનલ્ટી સાથે 1.35 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેની ફરિયાદ નોંધાયેલ છે જો કે, ખેડૂતને ન્યાય મળે તેના માટે આજે પાટીદાર યુવા સેવા સંઘ ની આગેવાની હેઠળ કલેક્ટર અને એસપીને રજૂઆત કરીને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી.

મોરબી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો, લુખ્ખાઓ અને અસમાજિક તત્વોની સામે કાર્યવાહી બંડ પોકારવામાં આવેલ છે. તેવામાં મોરબી નજીકના રવાપર ગામના પૂર્વ સરપંચના પતિ સંજયભાઈ ધરમશીભાઈ અઘારા (52) વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ છે અને તેમણે પોતાની દીકરીના લગ્ન અને મેડિકલ માટે 8 લાખ રૂપિયા લીધેલ હતા જેની સામે રૂપિયા અપાવનાર રવાપર ગામે રહેતા રમેશભાઈ દેવાભાઈ બોરીચા અને રૂપિયા આપનારા રાજકોટના મોહિતભાઈ રામભાઈ આગરીયાએ 1.35 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને સંજયભાઇએ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યાર બાદ તેમણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સોની સામે ફરિયાદ કરેલ છે અને આ આરોપીઓએ તેની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે કાવતરું કર્યું છે જેથી આજે પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઇ પનારાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે જઈને કલેક્ટર કે.બી. ઝવેરી અને એસપી રાહુલ ત્રિપાઠીને આવેદન પત્ર આપીને આરોપીઓને તેના રૂપિયા પાછા આપી દીધા છે તો પણ સંજયભાઇ અઘારા પાસેથી તેની જમીન પચાવી લેવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી આ ખેડૂત પરિવારને ન્યાય અપાવવાની અધિકારી સમક્ષ માંગ કરેલ છે.

વધુમાં મનોજભાઇ પનારાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી શહેર અને તાલુકામાં રહેતા ખેડૂતોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવવામાં આવે છે અને ત્યાર બાદ તેની કિંમતી જમીન પડાવી લેવામાં આવે છે અથવા તો તેઓની જમીનમાં યેનકેન પ્રકારે કેસ કરીને જમીને ગોબરી કરી નાખવામાં આવે છે જેથી જમીનના મૂળ મલીકને ઘણી હેરાનગતિનો સામનો કરવો પાસે છે. માટે આવા તત્વોની સામે કલેક્ટર દ્વારા રેવન્યુ અને પોલીસ વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે. 






Latest News