માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ


SHARE











વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્પીડ બ્રેકરો બનાવવામાં આવેલ છે જો કે, રાત્રિના સમયે દેખાઈ તેમ નથી જેથી ત્યાં સફેદ પટ્ટા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો ત્યાં સફેદ પટ્ટા કે રેડિયમ રિફલેકટર નહિ મૂકવામાં આવે તો આ સ્પીડ બ્રેકરો નિર્દોષ વાહન ચાલક માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

વાંકાનેરના ખેરવા ગામે રહેતા આરટીઆઇ એક્ટિસ્ટ અને સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ છે કે, કુવાડવાથી વાંકાનેર સ્ટેટ હાઈવે રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્પીડ બ્રેકરો છે તે વાહન ચાલકોના ટાટીયા તોડે અને ફેકચરો કરી નાખે તે પ્રકારના છે આવા સ્પીડ બ્રેકરો ખાસ કરીને ટુ વ્હીલર અને નાના વ્હીલ વાળા વાહનના ચાલકો ઉછળીને પડે છે. ત્યારે આ પ્રકારના બમ્પરો જીવલેણ સાબિત થાય તે પહેલા ત્યાં સફેદ પટ્ટા કરવામાં આવે તેવી માંગ કરેલ છે. ઉલેખનીય છે કે, આ અંગે જવાબદાર તંત્રના અધિકારીને ટેલીફોનિક રજૂઆત કરેલ હતી જેને લાંબો સમય થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે તંત્ર કોઈના મોતની રાહ જોતું હોય તેમ દેખાઈ રહ્યું છે. અને જો ટ્રાફિકના નિયમની અમલવારી ન કરે તો વાહન ચાલકો પાસેથી દંડ લેવામાં આવે છે તેવી જ રીતે રોડ ઉપર ખાડાના લીધે કે પછી આવા સ્પીડ બ્રેકરના લીધે કોઈ જીવલેણ અકસ્માત થાય તો જે તે વિભાગના અધિકારીને દોષિત ઠેરવવા જોઈએ તેવી પણ માંગ કરેલ છે.






Latest News