મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE

















વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામ વડસલ તળાવમાં ન્હાવા માટે ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃત દેહને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મુન્નાભાઈ શેખરસિંગ બામનીયા (40) નામનો યુવાન તીથવા ગામ પાસે આવેલ વડસલ તળાવના પાણીમાં ન્હાવા માટે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર તે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ ઉપર આવીને  પાણીમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને શોધી કાઢીને પાણીમાંથી બહાર કાઢયો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા
મોરબીમાં આવેલ મચ્છી પીઠ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અસલમ અનવરભાઈ માડકીયા (35) રહે આસવાદ પાન પાસે મહેન્દ્રપરા મોરબી વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે હળવદમાં આવેલ સતનામ કોમ્પ્લેક્સ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રકાશભાઈ મગનભાઈ પરમાર (35) રહે. હળવદ વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

સાપ કરડી જતા સારવારમાં
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇટકોસ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પૂજાબેન અનિલભાઈ માલવે (24) નામની મહિલાને રાત્રિના સમયે સાપ પગે કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યા સારવાર બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ ની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News