મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડે ગટરના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં યુવાન બાઇક સાથે ખબક્યો


SHARE















મોરબીના રેલ્વે સ્ટેશન રોડે ગટરના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં યુવાન બાઇક સાથે ખબક્યો

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર હાલમાં રોડની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ ગટર માટેનું કામ પણ ચાલી રહ્યું છે જેથી ગટરના કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને તે ખાડાની અંદર સોમવારે બપોરના સમયે બાઈક લઈને પસાર થઈ રહેલ યુવાન બાઈકની સાથે ખાડામાં પડ્યો હતો. જો કે, સદ્નસીબે કોઈ જીવલેણ અકસ્માત નથી બન્યો પરંતુ જો ચોમાસા દરમિયાન કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારી તે અત્યારથી જ નક્કી કરવાની જરૂર હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.

મોરબીમાં સોમવારે બપોરના સવા ચારેક વાગ્યાના અરસામાં મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર જ્યાં હાલમાં રોડ બનાવવા માટેની કામગીરી અને તેની સાથે ગટરના પાણીનો નિકાલ થાય તેના માટેની કામગીરી ચાલી રહી છે ત્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો અને ખાડા પાસેથી યુવાન પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાન ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઇક સહિત ખાબક્યો હતો. જોકે, સદનસીબે જીવલેણ અકસ્માત બનેલ નથી. પરંતુ આવી રીતે ખોદવામાં આવેલ ખાડાના લીધે કે પછી ખુલ્લી પડેલ ગટરના કારણે જો કોઈપણ જગ્યાએ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર કોણ જવાબદાર ગણાશે. તે અત્યારથી નક્કી કરવાની જરૂર છે.

કારણ કે, ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ ગંભીર ઘટનાઓ બને ત્યારે સરકાર દ્વારા સીટની રચનાઓ કરવામાં આવે, તપાસના આદેશ કરવામાં આવે, ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચમરબંધી કોઈ દી પકડાતા નથી અને સીટના રિપોર્ટ પછી કોઈને ગંભીર પ્રકારની સજા પડી હોય તેવો આજ સુધી ગુજરાતમાં દાખલો બન્યો નથી ત્યારે મોરબીમાં કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે વહેલી તકે તંત્ર દ્વારા આવા જીવલેણ ખાડા બુરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં ઉઠી રહી છે.






Latest News