મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડે ગટરના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં યુવાન બાઇક સાથે ખબક્યો


SHARE









મોરબીના રેલ્વે સ્ટેશન રોડે ગટરના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં યુવાન બાઇક સાથે ખબક્યો

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર હાલમાં રોડની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ ગટર માટેનું કામ પણ ચાલી રહ્યું છે જેથી ગટરના કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને તે ખાડાની અંદર સોમવારે બપોરના સમયે બાઈક લઈને પસાર થઈ રહેલ યુવાન બાઈકની સાથે ખાડામાં પડ્યો હતો. જો કે, સદ્નસીબે કોઈ જીવલેણ અકસ્માત નથી બન્યો પરંતુ જો ચોમાસા દરમિયાન કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારી તે અત્યારથી જ નક્કી કરવાની જરૂર હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.

મોરબીમાં સોમવારે બપોરના સવા ચારેક વાગ્યાના અરસામાં મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર જ્યાં હાલમાં રોડ બનાવવા માટેની કામગીરી અને તેની સાથે ગટરના પાણીનો નિકાલ થાય તેના માટેની કામગીરી ચાલી રહી છે ત્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો અને ખાડા પાસેથી યુવાન પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાન ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઇક સહિત ખાબક્યો હતો. જોકે, સદનસીબે જીવલેણ અકસ્માત બનેલ નથી. પરંતુ આવી રીતે ખોદવામાં આવેલ ખાડાના લીધે કે પછી ખુલ્લી પડેલ ગટરના કારણે જો કોઈપણ જગ્યાએ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર કોણ જવાબદાર ગણાશે. તે અત્યારથી નક્કી કરવાની જરૂર છે.

કારણ કે, ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ ગંભીર ઘટનાઓ બને ત્યારે સરકાર દ્વારા સીટની રચનાઓ કરવામાં આવે, તપાસના આદેશ કરવામાં આવે, ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચમરબંધી કોઈ દી પકડાતા નથી અને સીટના રિપોર્ટ પછી કોઈને ગંભીર પ્રકારની સજા પડી હોય તેવો આજ સુધી ગુજરાતમાં દાખલો બન્યો નથી ત્યારે મોરબીમાં કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે વહેલી તકે તંત્ર દ્વારા આવા જીવલેણ ખાડા બુરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં ઉઠી રહી છે.






Latest News