મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ


SHARE







મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ

મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મંદિરેથી દરબારગઢ પાસે આવેલ મચ્છુ માતાના કોઠા સુધી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રબારી અને ભરવાડ સમાજના લોકો મોરબી જિલ્લામાંથી તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતા હોય છે અને રથયાત્રાના રૂટ ઉપર રાસ ગરબા, હુડો રાસની રમઝટ બોલાવતા હોય છે આ કાર્યક્રમ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેને દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત મોરબીમાં રથયાત્રા શરૂ થાય ત્યાંથી પૂરી થાય ત્યાં સુધીના રૂઉપર રાખવામાં આવતો હોય છે તેવી જ રીતે આ વખતે પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે દરમિયાન ગુરુવારે સાંજે મોરબીમાં મચ્છુ માતાજીના મંદિરથી રથયાત્રા પૂરી થાય ત્યાં સુધી લગભગ બે કિલોમીટર કરતાં વધુનું ફૂ પેટ્રોલિંગ એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી પી.એ.ઝાલા તથા પીઆઇ, પીએસઆઇ સહિત તેમાં જોડાયા હતા અને આવતીકાલે રથયાત્રામાં રૂટ ઉપર કે મંદિરે કોઈપણ જગ્યાએ ટ્રાફિક ન એકત્રિત થાય અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થાય તેના માટે જરૂરી સૂચનાઓ એસપી અને ડીવાયએસપી દ્વારા અધિકારી અને સ્ટાફને આપવામાં આવી હતી.






Latest News