વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો


SHARE













મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો

મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે પમ્પિંગ સ્ટેશનથી સામાકાંઠા વિસ્તારમાં પાણીને ફિલ્ટર કરીને આપવામાં આવે છે તેવી મહાપાલિકાના અધિકારીઓ વાતો કરી રહ્યા છે ત્યારે વાસ્તવિક્તા જાણવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મહેશભાઇ રાજકોટિયા, ધર્મેન્દ્રભાઈ વિડજા સહિતના પહોચ્યા હતા ત્યારે ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને અત્યંત દુર્ગંધ યુક્ત પાણી ત્યાં આવી રહ્યું હતું અને ત્યાર બાદ કોંગ્રેસની ટિમ નજરબાગ પમ્પિંગ સ્ટેશન ખાતે પહોચી હતી અને ત્યાંના અધિકારીઓ જણાવ્યુ હતું કે, મચ્છુ-2 ડેમ પરથી રોજ લાખો લીટર પાણી ત્યાં આવે છે અને તેનું વિતરણ લોકોને કરવામાં આવે છે જો કે, ફિલ્ટર હાઉસ બંધ હતું જેથી કરીને જનઆરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. અને પાણીની ટાંકીમાં શેવાળ તેમજ કચરો જોવા મળી રહ્યો હતો. ત્યારે  સવાલ એ ઊભો થાય છે કે મોરબીના લોકો વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મનપામાં ભારે તો પણ તેઓને પીવાનું શુદ્ધ પાણી કેમ આપવામાં આવતું નથી. હાલમાં મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં અંદાજિત 50 હજારથી વધુ લોકો રહે છે અને તે લોકોને દુષિત અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા લેખિતમાં ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.






Latest News