મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો


SHARE











મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો

મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે પમ્પિંગ સ્ટેશનથી સામાકાંઠા વિસ્તારમાં પાણીને ફિલ્ટર કરીને આપવામાં આવે છે તેવી મહાપાલિકાના અધિકારીઓ વાતો કરી રહ્યા છે ત્યારે વાસ્તવિક્તા જાણવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મહેશભાઇ રાજકોટિયા, ધર્મેન્દ્રભાઈ વિડજા સહિતના પહોચ્યા હતા ત્યારે ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને અત્યંત દુર્ગંધ યુક્ત પાણી ત્યાં આવી રહ્યું હતું અને ત્યાર બાદ કોંગ્રેસની ટિમ નજરબાગ પમ્પિંગ સ્ટેશન ખાતે પહોચી હતી અને ત્યાંના અધિકારીઓ જણાવ્યુ હતું કે, મચ્છુ-2 ડેમ પરથી રોજ લાખો લીટર પાણી ત્યાં આવે છે અને તેનું વિતરણ લોકોને કરવામાં આવે છે જો કે, ફિલ્ટર હાઉસ બંધ હતું જેથી કરીને જનઆરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. અને પાણીની ટાંકીમાં શેવાળ તેમજ કચરો જોવા મળી રહ્યો હતો. ત્યારે  સવાલ એ ઊભો થાય છે કે મોરબીના લોકો વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મનપામાં ભારે તો પણ તેઓને પીવાનું શુદ્ધ પાણી કેમ આપવામાં આવતું નથી. હાલમાં મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં અંદાજિત 50 હજારથી વધુ લોકો રહે છે અને તે લોકોને દુષિત અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા લેખિતમાં ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.






Latest News