મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો


SHARE















મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો

મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે પમ્પિંગ સ્ટેશનથી સામાકાંઠા વિસ્તારમાં પાણીને ફિલ્ટર કરીને આપવામાં આવે છે તેવી મહાપાલિકાના અધિકારીઓ વાતો કરી રહ્યા છે ત્યારે વાસ્તવિક્તા જાણવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મહેશભાઇ રાજકોટિયા, ધર્મેન્દ્રભાઈ વિડજા સહિતના પહોચ્યા હતા ત્યારે ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને અત્યંત દુર્ગંધ યુક્ત પાણી ત્યાં આવી રહ્યું હતું અને ત્યાર બાદ કોંગ્રેસની ટિમ નજરબાગ પમ્પિંગ સ્ટેશન ખાતે પહોચી હતી અને ત્યાંના અધિકારીઓ જણાવ્યુ હતું કે, મચ્છુ-2 ડેમ પરથી રોજ લાખો લીટર પાણી ત્યાં આવે છે અને તેનું વિતરણ લોકોને કરવામાં આવે છે જો કે, ફિલ્ટર હાઉસ બંધ હતું જેથી કરીને જનઆરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. અને પાણીની ટાંકીમાં શેવાળ તેમજ કચરો જોવા મળી રહ્યો હતો. ત્યારે  સવાલ એ ઊભો થાય છે કે મોરબીના લોકો વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મનપામાં ભારે તો પણ તેઓને પીવાનું શુદ્ધ પાણી કેમ આપવામાં આવતું નથી. હાલમાં મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં અંદાજિત 50 હજારથી વધુ લોકો રહે છે અને તે લોકોને દુષિત અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા લેખિતમાં ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.






Latest News