મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો


SHARE











મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો

મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે પમ્પિંગ સ્ટેશનથી સામાકાંઠા વિસ્તારમાં પાણીને ફિલ્ટર કરીને આપવામાં આવે છે તેવી મહાપાલિકાના અધિકારીઓ વાતો કરી રહ્યા છે ત્યારે વાસ્તવિક્તા જાણવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મહેશભાઇ રાજકોટિયા, ધર્મેન્દ્રભાઈ વિડજા સહિતના પહોચ્યા હતા ત્યારે ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને અત્યંત દુર્ગંધ યુક્ત પાણી ત્યાં આવી રહ્યું હતું અને ત્યાર બાદ કોંગ્રેસની ટિમ નજરબાગ પમ્પિંગ સ્ટેશન ખાતે પહોચી હતી અને ત્યાંના અધિકારીઓ જણાવ્યુ હતું કે, મચ્છુ-2 ડેમ પરથી રોજ લાખો લીટર પાણી ત્યાં આવે છે અને તેનું વિતરણ લોકોને કરવામાં આવે છે જો કે, ફિલ્ટર હાઉસ બંધ હતું જેથી કરીને જનઆરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. અને પાણીની ટાંકીમાં શેવાળ તેમજ કચરો જોવા મળી રહ્યો હતો. ત્યારે  સવાલ એ ઊભો થાય છે કે મોરબીના લોકો વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મનપામાં ભારે તો પણ તેઓને પીવાનું શુદ્ધ પાણી કેમ આપવામાં આવતું નથી. હાલમાં મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં અંદાજિત 50 હજારથી વધુ લોકો રહે છે અને તે લોકોને દુષિત અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા લેખિતમાં ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.






Latest News