મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ
SHARE








મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ
મોરબીમાં વહીવટી તંત્રના વડા કલેક્ટરની હાજરીમાં તાજેતરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કલેક્ટર પાસેથી સંવિધાન હત્યા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કોની સૂચનાથી અને કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ હતો તેની માહિતી માંગવામાં આવેલ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, મોદી સરકારના મનસ્વી અને ભ્રષ્ટ વહીવટથી દેશમાં છેલ્લા ૧૧ વર્ષથી અઘોષિત ઈમરજન્સીનો જનતા ભોગ બની રહી છે ત્યારે રોજબરોજ સંવિધાનના ધજીયા ઉડી રહ્યા છે એજ ભ્રષ્ટ ભાજપા સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરે...? આ કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર મોરબી મુકામે સુવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કલેક્ટર તથા જીલ્લા સરકારી તંત્ર ઉપસ્થિત હતું આ કાર્યક્રમ કોની સુચનાથી કરવામાં આવેલ છે. તેમજ આવો કાર્યક્રમ સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ છે કે કેમ ? જેની લેખીતમાં જાણ કરવા જણાવ્યુ છે. જે કટોકટી લાગેલ તે કટોકટી પણ ભારતીય બંધારણ મુજબ લગાવવામાં આવેલ તો તેને સંવિધાન હત્યા દિવસ કઈ રીતે કહી શકાય ? આવા કાર્યક્રમો આપી વહીવટી તંત્રએ લોકશાહીનું અપમાન કરેલ છે. તેમજ ભારતીય બંધારણની માન મર્યાદા જાળવવાનું મોરબી વહીવટી તંત્ર ચુકી ગયેલ છે. અને આવો કાર્યક્રમ કરવા માટે સરકારે સુચના કે પરિપત્રથી જાણ કરેલ હોય તો તેની માહિતી આપવા માટેની માંગ કરેલ છે.

