મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ


SHARE











હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ

હળવદના ચરાડવા ગામે રહેતો યુવાનની તેના પિતાએ હત્યા કરી હતી જેની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેની તપાસ હળવદના પીઆઇ કરી રહ્યા હતા અને પુત્રને દોરીથી ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખનારા પિતાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળના ભાગમાં રહેતા દિનેશભાઈ મગનભાઈ સોલંકી (42)એ તેના કાકા દેવજીભાઈ કરસનભાઈ સોલંકી (52) રહે. ચરાડવા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ચરાડવા ગામે રહેતા તેઓના કાકાનો દીકરો મનોજભાઈ દેવજીભાઈ સોલંકી (25) કામ ધંધો કરતો ન હતો જેથી મનોજને તેના પિતાની સાથે અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો અને બુધવારે ફરિયાદીના પિતરાઈ ભાઈને તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારે મનોજને દોરીથી તેના પિતા દેવજીભાઈ સોલંકીએ ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના પિતરાઇ ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમે આરોપી દેવજીભાઈ કરસનભાઈ સોલંકી (52) રહે. ચરાડવા વાળાની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News