વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો
SHARE









વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા
વાંકાનેર તાલુકામાં નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે શખ્સની એસઓજીએ PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી હતી અને બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે જેની વધુમાં મળતી માહિતી મુજબ કૈફી ઔષધોનો વેપાર અટકાવવા અધિનિયન 1988 હેઠળ પ્રપોસલ તૈયાર કરી અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગરની કચેરી તરફ મોકલવામાં આવી હતી અને તેને મંજૂર કરવામાં આવી હતી જેથી મોરબી જિલ્લા એસઓજીની ટીમે આરોપી નાથાભાઈ ભલાભાઈ મકવાણા અને પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી હતી અને આરોપી નાથાભાઈ ભલાભાઈ મકવાણાને સુરત અને પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.
ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો
મોરબી એસઓજી ટીમે વર્ષ 2024 માં ટંકારા શાક માર્કેટમાંથી આરોપી હુશેન ઉર્ફે સબલો સલીમ સોલંકીને ગાંજો વજન 1.435 કિલો અને રોકડ રકમ અને મોબાઈલ સહીત કુલ 46,850 ના મુદામાલ ઝડપી લીધેલ હતી જે ગુનામાં સહ આરોપી તરીકે નિજામ ઈબ્રાહીમ આમરોણીયા રહે. ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને આરોપી નિજામને ગાંજાનો જથ્થો આપનાર આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઈ દઢાણીયા રહે. હાલ ગાંધીધામ વાળાનું નામ ખુલ્યું હતું જે આરોપી છ માસથી ફરાર હતો તેની કચ્છ આદિપુર ખાતેથી ટંકારા પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
