મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબીના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ મોરબી જીલ્લામાં જનજાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબીના શ્રી રોટરીગ્રામ (અ) ગામે આવેલ શાળામાં આઇએમએ દ્વારા હીમોગ્લોબિન-બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત


SHARE

















મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત

મોરબીમાં ભૂંભરની વાડી વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ વિગેરે મળતું નથી જેથી કરીને આ બાબતે સ્થાનિક રહેવાસીએ કમિશનરને રજૂઆત કરી હતી.

હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓ બાપદાદાના સમયથી ખાતેદાર ખેડૂતો છે અને તેઓ પોતાની જ વાડીમાં રહેણાંક બનાવીને રહે છે મોરબીના પંચાસર રોડે ભૂંભરની વાડી આવે છે ત્યાં ખેડૂતો પોતાના જુદા જુદા સર્વે નંબર વાળી ખેતીની જમીનમાં ઉતરોતર વારસદાર છે અને વાડીમાં જ રહે છે. અને ત્યાં એક કે બે નહીં 70 કુટુંબો જેના કુલ મળીને 350 થી વધારે લોકો વસવાટ કરે છે અને તેઓને પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પાણીની જ્યુડિસી પાઇપ લાઇન બાકી છે, અમુક થાંભલા પર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલ નથી અને જે થાંભલા પર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવેલ છે તે પણ અમુક બંધ છે, ભૂગર્ભ ગટર છલકાઈ છે, ત્રણથી ચાર વખત અધિકારીઓ દ્વારા રોડ માટે સર્વે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે જો કે, હજુ સુધી રોડ બનેલ નથી., વાડી વિસ્તારમાં કચરો લેવા માટે કોઈ વાહન આવતું જ નથી અને મહાનગરપાલિકા દ્વારા વાડી વિસ્તારમાં ફરીથી આકરણી કરીને સુવિધા આપવામાં આવે તો બધા ઘરવેરો ભરવા માટે સહમંત છે.






Latest News