મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE













મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત

જોડિયાના જામદુધઈ ગામે રહેતો યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને જોઈને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને યુવાનનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જામનગરના જોડિયા તાલુકામાં આવેલા જામ દુધઈ ગામે રહેતા અશ્વિનભાઈ સુરેશચંદ્ર ભોજાણી નામના ૪૩ વર્ષના યુવાનને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તબીબે જોઈ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા અને કોઈ કારણોસર તેમનું મોત થયેલ હોય તપાસ કરવામાં આવ્યા બાદ હાર્ટ એટેકના લીધે અશ્વિનભાઈ ભોજાણીનું મોત નિપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે જોડિયા પોલીસને જાણ કરી હતી.

વૃદ્ધ સારવારમાં
માળિયા મિંયાણાના ચાંચાવદરડા ગામે રહેતા ઈશ્વરભાઈ શામજીભાઈ બાવરવા નામના ૯૨ વર્ષના વૃદ્ધ મોરબીના ઉમિયાનગર પાસે બાઈક પાછળ બેસીને જતા હતા તે સમયે બાઇક સ્લીપ થતા પડી જવાથી ઇજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મૂળ ઓડિશા હાલ મોરબી રહેતા શ્રીધર નેત્રાનંદ બારીક નામના ૫૯ વર્ષના આધેડને મોરબીના શનાળા ગામે સીએનજી પંપ પાસે બાઇક સ્લીપના બનાવમાં ઇજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ત્રાજપર ચોકડી મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા જય પ્રકાશભાઈ બનસોડે નામના ૨૫ વર્ષના યુવાનને પાંજરાપોળ પાસે નાયરા પંપ નજીક બાઇકની આડે ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ઈજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
મોરબીના શનાડા રોડ સ્કાય મોલ પાછળ રામજી મંદિર પાસે બાઈકમાંથી પડી જતા અસ્મિતાબેન હરેશભાઈ ડાભી નામના ૨૬ વર્ષીય મહિલાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા પરિવારના ઉત્તમ બાબુભાઈ વરાણીયા નામના નવ વર્ષના બાળકને બાઈક પાછળ બેસીને જતા સમયે નિચે પડી જવાથી ઇજા પામેલ હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News