મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE







મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત

જોડિયાના જામદુધઈ ગામે રહેતો યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને જોઈને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને યુવાનનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જામનગરના જોડિયા તાલુકામાં આવેલા જામ દુધઈ ગામે રહેતા અશ્વિનભાઈ સુરેશચંદ્ર ભોજાણી નામના ૪૩ વર્ષના યુવાનને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તબીબે જોઈ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા અને કોઈ કારણોસર તેમનું મોત થયેલ હોય તપાસ કરવામાં આવ્યા બાદ હાર્ટ એટેકના લીધે અશ્વિનભાઈ ભોજાણીનું મોત નિપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે જોડિયા પોલીસને જાણ કરી હતી.

વૃદ્ધ સારવારમાં
માળિયા મિંયાણાના ચાંચાવદરડા ગામે રહેતા ઈશ્વરભાઈ શામજીભાઈ બાવરવા નામના ૯૨ વર્ષના વૃદ્ધ મોરબીના ઉમિયાનગર પાસે બાઈક પાછળ બેસીને જતા હતા તે સમયે બાઇક સ્લીપ થતા પડી જવાથી ઇજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મૂળ ઓડિશા હાલ મોરબી રહેતા શ્રીધર નેત્રાનંદ બારીક નામના ૫૯ વર્ષના આધેડને મોરબીના શનાળા ગામે સીએનજી પંપ પાસે બાઇક સ્લીપના બનાવમાં ઇજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ત્રાજપર ચોકડી મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા જય પ્રકાશભાઈ બનસોડે નામના ૨૫ વર્ષના યુવાનને પાંજરાપોળ પાસે નાયરા પંપ નજીક બાઇકની આડે ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ઈજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
મોરબીના શનાડા રોડ સ્કાય મોલ પાછળ રામજી મંદિર પાસે બાઈકમાંથી પડી જતા અસ્મિતાબેન હરેશભાઈ ડાભી નામના ૨૬ વર્ષીય મહિલાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા પરિવારના ઉત્તમ બાબુભાઈ વરાણીયા નામના નવ વર્ષના બાળકને બાઈક પાછળ બેસીને જતા સમયે નિચે પડી જવાથી ઇજા પામેલ હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News