મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ


SHARE

















મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ

મોરબીના જોધપર (નદી) ગામ પાસે મચ્છુ નદી પર બ્રિજ બનાવવામાં આવેલ છે અને ત્યાંથી ભારે વાહનો સહિતના ટ્રાફિકની સતત અવરજવર રહે છે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રિજની સલામતી બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતની ટીમે નિરીક્ષણ કર્યુ હતું

ગુજરાત રાજ્યમાં પુલ, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબીથી લીલાપર ચોકડી અને રફાળેશ્વર થઈ નેશનલ હાઇવેને જોડતા રસ્તા પર જોધપર (નદી) ગામ પાસે મચ્છુ-૨ ડેમ નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂપે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકી સહિતના ઈજનેરોની ટીમે નિરીક્ષણ કર્યું હતું. ઉલેખનીય છે કે, આ બ્રિજ વર્ષ ૨૦૧૪ માં બનાવવામાં આવેલ છે અને મોરબીના સિરામીક, પેપર મીલ સહિતના ઉદ્યોગો માટે તેમજ ગામના લોકો માટે મહત્વનો બ્રિજ છે. અને આ બ્રિજ ઉપર ભારે વાહનો સહિતનો ટ્રાફિક પણ સતત રહે છે. જેથી વાહન વ્યવહારની સુરક્ષાને ધ્યાને રાખીને માર્ગ મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર સહિતની ટીમે બ્રિજની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.






Latest News