2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો મોરબીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરને ફેસબુકમાં ફેક આઈડી બનાવીને ગાળો લખનાર આપના સસ્પેન્ડ ઉપપ્રમુખ સામે ગુનો નોંધાયો મોરબીના નવા સાદુળકા ગામ નજીક વાડીએ ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારા: નવું બાઈક લેવાની પત્નીએ ના પાડતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના રણમલપુર ગામે હાથ ઉછીના રૂપિયા લેવા બાબતે પત્નીએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા આધેડનું સારવારમાં મોત મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા
Breaking news
Morbi Today

ટંકારા: નવું બાઈક લેવાની પત્નીએ ના પાડતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











ટંકારા: નવું બાઈક લેવાની પત્નીએ ના પાડતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના જબલપુર ગામ પાસે આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને નવું બાઈક લેવું હતું પરંતુ તેની પાસે પૈસા ન હતા અને તેના દીકરાના લગ્ન પણ બાકી હતા જેથી કરીને યુવાનને તેની પત્નીએ નવું બાઈક લેવાની ના પાડી હતી જે બાબતે તેને લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલ વિઝન બીલટેક નામના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા બદિયાભાઈ હુજીભાઈ ભુરીયા (37)એ પોતાના ઘરેથી રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં બાથરૂમ જોવાનું કહીને બહાર નીકળ્યા બાદ લેબર ક્વાર્ટરની પાછળના ભાગમાં આવેલ નગરપાલિકાના કચરા નાખવાના શેડમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની વેસ્તિબેન ભુરીયા રહે. હાલ જબલપુર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનેને નવું બાઈક લેવું હતું પરંતુ તેની પાસે પૈસા ન હતા અને તેના દીકરાના લગ્ન કરવાના બાકી હોય મૃતક યુવાનને તેની પત્નીએ બાઈક લેવાનીના પાડી હતી જે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા પ્રાણજીવનભાઈ માધવજીભાઈ કોટડીયા (72) નામના વૃદ્ધ બસ સ્ટેશન પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ઢાળમાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ રંગ ધરતી પાર્ક સોસાયટીમાં થીમ હાઈટમાં રહેતા ધન ગૌરીબેન રામચંદ્ર ત્રિવેદી (84) નામના વૃદ્ધા ક્રિષ્ના સ્કૂલ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News