મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી
SHARE
મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી
મોરબીનો પાડા પુલ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી કરીને તાત્કાલિક રીપેર કરવા માટેની મોરબી મહાનગરપાલિકાના કમિશનરને મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ જી. પીપરવાડીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને જો 15 દિવસમાં કામ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં સાડા ત્રણ વર્ષ પહેલા ઝુલતાપુલની દુર્ઘટના બની હતી જેને મોરબીવાસીઓ ભૂલ્યા નથી ત્યા આવી બીજી કોઈ દુર્ઘટના મોરબીમાં ન બને તેની તકેદારી રાખીને મોરબીમાં આવેલ પાડા પુલ હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યાં કોઈ જાનહાનિ થાય તે પહેલા આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો 15 દિવસમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.