માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે નિયમિત રીતે એસટીની બસ આવતી ન હોવાથી વિદ્યાર્થીનીઓએ કર્યો ચક્કાજામ: ત્રણ કલાકે અધિકારી આવ્યા !


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે નિયમિત રીતે એસટીની બસ આવતી ન હોવાથી વિદ્યાર્થીનીઓએ કર્યો ચક્કાજામ: ત્રણ કલાકે અધિકારી આવ્યા !

મોરબીના મહેન્દ્રનગર ગામેથી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે મોરબીની શાળા અને કોલેજોમાં આવતી હોય છે પરંતુ તેઓને સવારે અને બપોરના સમયે શાળા અને કોલેજે આવા જોવા માટે નિયમિત રીતે બસો મળતી નથી જેથી કરીને આજે વિદ્યાર્થીનીઓ દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ત્રણ કલાક સુધી રસ્તો ચક્કાજામ રાખવામાં આવ્યો હતો જેથી એસટી વિભાગના જવાબદાર અધિકારીએ સ્થળ ઉપર આવ્યા હતા અને એસટી બસ તેઓને નિયમિત મળશે તેવી લેખિતમાં બાહેંધરી આપી હતી ત્યારબાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

મોરબી શહેર અને જિલ્લામાં જાણે કે સુવિધાઓ માટે ચક્કાજામ કરવો અનિવાર્ય બની ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીમાં પ્રાથમિક સુવિધાઓ માટે ચક્કાજામ થયા હતા ત્યારબાદ હળવદ અને વાંકાનેરમાં પણ પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વિદ્યાર્થીનીઓ દ્વારા એસટી બસની સુવિધા માટે રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને તે લોકો દ્વારા અગાઉ એક નહીં પરંતુ અનેક વખત મોરબીના એસટી ડેપો મેનેજરને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને તેઓને સવારે શાળા કોલેજે જવા માટે તથા બપોરે છૂટે ત્યારબાદ ઘરે આવવા માટે થઈને નિયમિત રીતે બસ મળે તે માટે વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી

પરંતુ તેઓની માંગને ધ્યાનમાં રાખીને કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા અને વિદ્યાર્થીનીઓ જો ઉપરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી બસમાં ચડવા જતી હોય તો તેઓને અપશબ્દ કહેવામાં આવે, બસમાં ચડવા ન દેવામાં આવે, બસ ઉભી રાખવામાં ન આવે આવી ઘટનાઓ છેલ્લા સમયમાં બની હતી જેથી રોષે ભરાયેલ વિદ્યાર્થીનીઓ દ્વારા આજે સવારે 7:00 વાગ્યાથી મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને લગભગ ત્રણ કલાક એટલે કે 10:00 વાગ્યા સુધી ચક્કાજામ રાખવામાં આવ્યો હતો અને ત્યારે એસટી વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારી ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓને સવારે તથા બપોરે નિયમિત રીતે એસટીની બસ મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી લેખિતમાં બાહેંધરી આપી હતી. ત્યારબાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મહેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોવાના કારણે ગામની વિદ્યાર્થીનીઓને મોરબીની શાળા કોલેજમાં અભ્યાસ કરવા માટે થઈને આવું હોય તો માત્ર પાંચ રૂપિયાનો તેઓનો મંથલી પાસ નીકળતો હતો પરંતુ હવે મહાનગરપાલિકામાં મહેન્દ્રનગર ગામનો સમાવેશ થયો છે જેથી સાડા ચારસો રૂપિયાનો પાસ તે લોકોને મોરબીની શાળા કોલેજમાં અભ્યાસ કરવા માટે થઈને આવું હોય તો લેવો પડે છે અને તે લોકોએ એસટી બસનો પાસ મેળવ્યો હોવા છતાં પણ એસટી બસ નિયમિત આવતી ન હોવાથી અથવા તો ઉપરથી આવતી બસ ઊભી રાખવામાં આવતી ન હોવાના કારણે તેઓને એસટી બસનો પાસ લેવા માટે કરેલા ખર્ચાનું વળતર મળતું નથી અને વાલીઓને ના છૂટકે પોતાના ખાનગી વાહનોમાં તેમના સંતાનોને મોરબીની શાળા કોલેજમાં મૂકવા જવું પડે આવો ઘાટ સર્જાતો હતો જેથી કરીને રોષે ભરાયેલ વિદ્યાર્થીનીઓ, તેના વાલીઓ અને ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીનીઓને એસટી બસની નિયમિત રીતે સુવિધા મળે તેના માટે થઈને આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા






Latest News