મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી મનપાની ટીમે ૬૩૯ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો કર્યો નિકાલ


SHARE











મોરબી મનપાની ટીમે ૬૩૯ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો કર્યો નિકાલ

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા ટેન્ડર મુજબનું મટિરિયલ આવ્યા બાદ મોરબીમાં લાઈટો ચાલુ કરવાનું તેમજ લાઈટો રીપેર કરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને જયા જરૂર લાગે ત્યાં લાઈટો બદલીને નવી લાઈટો નાખવામાં આવી રહી છે તેવામાં મહાપાલિકામાંથી મળતી માહિતી મુજબ તા. ૯ થી ૨૨ સુધીમાં કુલ ૬૩૯ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકામાં તા. ૨૨ સુધી આવેલ ફરિયાદો પૈકી ઘણી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે જેમા કુલ આવેલ ફરિયાદો ૪૨૫0 ફરિયાદો પૈકી ૩૩૯૭ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. જેમાં ૨૫ w ની ૧૧૦૦ નવી લાઇટો નાખવામાં આવી અને તે પૈકી જરૂર જણાતી ૬૦૦ લાઇટો રીપેર કરીને ચાલુ કરવામાં આવી અને ૧૧૦ w ની ૨૦૦ નવી લાઈટો નાખવામાં આવેલ છે જેમાં મોટા ભાગના વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે જેવા કે લાયન્સ નગર, રણછોડનગર, લાતી પ્લોટનો મોટાભાગનો વિસ્તાર, ગાયત્રી નગર, ગાંધી સોસાયટી, બુધ નગર, ભડિયાડ રોડ, સો ઓરડી મેં રોડ, સોમૈયા સોસાયટી, રામ પાર્ક, યમુના નગર તથા મોરબી શહેરના મહત્વના રોડ અને અન્ય વિસ્તારોને લાઇટો નાખી તેમજ જરૂર જણાએ બદલી ચાલુ કરવાંમાં આવી છે 






Latest News