મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં 3.50 લાખની લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીના શરતોને આધીન જામીન મંજૂર


SHARE















મોરબીમાં 3.50 લાખની લૂંટના ગુનામાં પકડાયેલ આરોપીના શરતોને આધીન જામીન મંજૂર

મોરબીના શનાળા ગામે વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી અને આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે લૂંટમાં ગયેલ રકમ સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેની જામીન અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જમીન મંજૂર કર્યા છે.

મોરબીના સનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ સુરાણી પોતાની દુકાનેથી મંગળવારે રાતે સાડા નવ વાગ્યે ઘરે જતાં હતા ત્યારે તેના ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેઓએ તેના મિત્ર પાસેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા જેમાંથી બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે, સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં રાખીને જતાં હતા તેની ગામમાં જ રહેતા વિશાલ રબારી દ્વારા લૂંટ કરવામાં આવી હતી. જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ રહે, શનાળા વાળાની ધરપકડ કરીને તેની પાસેથી લૂંટમાં ગયેલ 3.50 લાખ કબ્જે કર્યા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં આરોપી દ્વારા તેમના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈને આરોપીને શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામે આરોપી વિશાલ રબારી તરફે મોરબીના સીનીયર વકીલ જીતેન્દ્રસિંહ આર.જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.






Latest News