મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આડેધડ એઠવાડ-કચરાનો નિકાલ ગૌવંશ માટે બને જીવલેણ


SHARE











મોરબીમાં આડેધડ એઠવાડ-કચરાનો નિકાલ ગૌવંશ માટે બને જીવલેણ

હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રસંગ યોજાય છે અને લોકો આડેધડ ગમે ત્યાં એઠવાડ અને કચરા ફેંકે છે જેથી કરીને તેમાં ખોરાક ખાવા માટે ગૌવંશ જાય છે અને પ્લાસ્ટિક સહિતના કચરા ગૌવંશના પેટમાં જવાથી તે તેના માટે જીવલેણ સાબિત થાય છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ પીપળી રોડ પાસે નિરાધાર ગૌ શાળા તરફ પાવર હાઉસ સુધીના વિસ્તારમાં એઠવાડ-કચરા ફેંકીને ગંદકી કરવામાં આવે છે અને પ્રતિષ્ઠ ભણેલ, ગણેલ અને સધ્ધર વ્યક્તિઓ ગામડાના અભણ લોકો પણ ન કરે તેવુ કૃત્ય કરી રહ્યા છે ત્યારે જાહેરમાં એઠવાડ-કચરા ફેંકતા લોકો ગૌવંશનું હિત ધ્યાનમાં રાખીને જાહેરમાં કચરો ફેંકવાનું બંધ કરે તેવી લાગણી અને માંગણી નિરાધાર ગૌશાળાના સંચાલક  અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરીષદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ લોરીયાએ કરેલ છે અને જો જાહેરમાં એઠવાડ-કચરા ફેંકીને ગંદકી કરીને ગૌવંશ માટે જોખમ ઊભું કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે 






Latest News