હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ
Breaking news
Morbi Today

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ દ્વારા અંતિમ યાત્રા બસની સેવા લોકાર્પણ કરાઇ


SHARE













મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ દ્વારા અંતિમ યાત્રા બસની સેવા લોકાર્પણ કરાઇ

મોરબીના માધાપર વિસ્તારમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા લોકોને જુદીજુદી સેવા આપવામાં આવી રહી છે અને દાતાના સહયોગથી ગઇકાલથી અંતિમ યાત્રા બસની સેવા લોકાર્પણ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મોરબી સતવારા સમાજની સેવામાં દાતાના સહયોગથી શ્રધ્ધાંજલી સેવા, એસી ઓકિસજન એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી રહી છે ત્યાર બાદ હવે અંતિમ યાત્રા બસની સેવાને પણ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્ર્મ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ હોલ ખાતે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાખવામા આવ્યો હતો અને આ સેવાના મુખ્ય દાતા સ્વ. જેઠાભાઇ મલાભાઇ પરમારના સ્મરણાર્થે ગં.સ્વ. ભારતીબેન જેઠાભાઇ પરમાર અને તેના પુત્રો કલ્યાણજીભાઇ જેઠાભાઇ પરમાર તથા દયારામભાઇ જેઠાભાઇ પરમાર સહિતના અન્ય દાતાઓનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પાલિકાના પ્રમુખ કુસુમબેન લે. પરમાર, સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, ઉપપ્રમુખ કે.કે. પરમાર, ભાવેશભાઈ કંઝારીયા, નરેન્દ્રભાઈ પરમાર, જેઠાભાઇ ડાભી, એલ.એમ.કંઝારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News