મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા


SHARE







વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સ્વયંભૂ જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી તેની ઉજવણી કરવામાં આવે છે અને મંદિરના પટાંગણમાં જડેશ્વર દાદાની રવાડી નીકળશે અને ત્યારબાદ તે મેળાના ગ્રાઉન્ડ સુધી જશે અને મંદિરે રવડી પરત આવશે ત્યાર બાદ નિજ મંદિરમાં મહાઆરતી થશે અને પછી હજારો લોકો આજે ભંડારાનો લાભ લેશે.

શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર જે લોકમેળા યોજાઇ છે તેનો સર્વ પ્રથમ મેળો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાતો હોય છે ગઈકાલે આ મેળાને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને કાંતિભાઈ અમૃતિયા તથા મંદિરના મહનત રતિલાલ મહારાજ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે કે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ છે અને આજે પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મંદિરના પટાંગણમાંથી જડેશ્વર દાદાની રવડી શરૂ કરવામાં આવશે અને મેળાના ગ્રાઉન્ડ સુધીમાં જડેશ્વર દાદાની રવાડી જશે ત્યાર બાદ મંદિરના પટાંગણમાં રવાડીને પૂરી કરવામાં આવશે અને પછી જડેશ્વર દાદાની મધ્યાહન મહાઆરતી યોજાશે જેનો હજારો શિવભક્તો લાભ લેશે અને ત્યારબાદ ભંડારો અને મહાપ્રસાદ યોજાશે જેનો જડેશ્વર દાદાના દર્શન, પૂજન અને મેળાનો લાભ લેવા માટે આવેલા શિવભક્તો લાભ લેશે.






Latest News