મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા


SHARE







વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સ્વયંભૂ જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી તેની ઉજવણી કરવામાં આવે છે અને મંદિરના પટાંગણમાં જડેશ્વર દાદાની રવાડી નીકળશે અને ત્યારબાદ તે મેળાના ગ્રાઉન્ડ સુધી જશે અને મંદિરે રવડી પરત આવશે ત્યાર બાદ નિજ મંદિરમાં મહાઆરતી થશે અને પછી હજારો લોકો આજે ભંડારાનો લાભ લેશે.

શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર જે લોકમેળા યોજાઇ છે તેનો સર્વ પ્રથમ મેળો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાતો હોય છે ગઈકાલે આ મેળાને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને કાંતિભાઈ અમૃતિયા તથા મંદિરના મહનત રતિલાલ મહારાજ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે કે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ છે અને આજે પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મંદિરના પટાંગણમાંથી જડેશ્વર દાદાની રવડી શરૂ કરવામાં આવશે અને મેળાના ગ્રાઉન્ડ સુધીમાં જડેશ્વર દાદાની રવાડી જશે ત્યાર બાદ મંદિરના પટાંગણમાં રવાડીને પૂરી કરવામાં આવશે અને પછી જડેશ્વર દાદાની મધ્યાહન મહાઆરતી યોજાશે જેનો હજારો શિવભક્તો લાભ લેશે અને ત્યારબાદ ભંડારો અને મહાપ્રસાદ યોજાશે જેનો જડેશ્વર દાદાના દર્શન, પૂજન અને મેળાનો લાભ લેવા માટે આવેલા શિવભક્તો લાભ લેશે.






Latest News