મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ સાગર ફુલતરિયાની હવે માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં ધરપકડ કરતી સીઆઇડી


SHARE







મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ સાગર ફુલતરિયાની હવે માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં ધરપકડ કરતી સીઆઇડી

માળીયા મીયાણા તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ મોરબીના ચકચારી 602 જમીન કૌભાડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીને આજે રિમાન્ડની માંગણી સાથે તપાસનીસ અધિકારી દ્વારા માળીયા મિયાણાંની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલેખનીય છે કે, અગાઉ આ ગુનામાં સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ કરીને તેના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

માળિયા મીયાણા તાલુકાના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત જે મહિલા તેની દીકરી ન હતી તેને બોગસ સોગંદનામુ કરીને તેના આધારે મેળવેલ વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તેના આધારે તેઓની ખેતીની જમીનમાં તે મહિલાને વારસદાર બનાવમાં આવી હતી. જે બાબતે ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનારબોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે અને આ ગુનામાં પહેલા સરવડ ગામના તત્કાલિન તલાટિ મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખરની આરોપી તરીકે ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂરા થતાં આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આગઉ પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું હતું કે મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયાએ કહ્યું હતું કે તેની પાસે મહેશ રાવલ અને તેનો દીકરો ઉદય રાવલ આવશે તેને વારસાઈ આંબો કાઢી આપવાનો છે.

જેથી સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા દ્વારા 602 જમીન કૌભાંડમાં સીઆઇડીની ટીમે પકડીને મોરબીની જેલ હવાલે કરેલ આરોપી સાગર આંબરામભાઈ ફૂલતરિયાનો મોરબીની જેલમાંથી કબ્જો લેવામાં આવેલ છે અને માળીયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં આરોપી તરીકે સાગર ફૂલતરિયાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે આજે માળીયા ની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.






Latest News