મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે કુવામાં પડી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના લીલાપર ગામે કુવામાં પડી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

બાઈક અકસ્માતના બનાવોમાં વૃદ્ધા સહિતના લોકોને ઈજા

મોરબી તાલુકાના લીલાપર ગામે કુવામાં પડી ગયેલ યુવાનને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે લીલાપર ગામે રહેતો વિનોદ નરશીભાઈ બારૈયા નામનો 28 વર્ષનો યુવાન ગત તા.25-7 ના રોજ સવારે દસેક વાગ્યે ગામના અશોકભાઈની વાડીએ કુવામાં પડી ગયો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. સ્ટાફના એમ.પી.ઝાલાએ તપાસ કરી હતી.

જયારે વિરપરડા ગામે રહેતા પરિવારનો રવિરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા નામનો 15 વર્ષનો સગીર બાઈકમાં બેસીને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા અહીંની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને જેતપર રોડે પીપલી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા રાજુભાઈ દેવજીભાઈ મોરવાડીયા (45)ને ઈજા થતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા.

પશુ અતિક્રમણમાં કાર્યવાહી
મોરબી બી ડીવીઝન પોલીસની હદમાં થોડા સમય પહેલા પશુ અતિક્રમણનો ગુનો નોંધાયો હતો. જેમાં સ્ટાફના મોમજીભાઈ ચૌહાણે હુશેનશા ઈબ્રાહીમશા શેખ (42) રહે. મોખાણા ભુજ (કચ્છ) અને વેરશીભાઈ સુજાભાઈ કરોતરા રબારી (56) રહે. મોખાણા ભુજ (કચ્છ)ને પોલીસ મથકે બોલાવી નોટીસ પાઠવી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વૃદ્ધા સારવારમાં
મોરબીના વિજયનગર પાસેના સનરાઈઝ પાર્કમાં રહેતા સાયનાબેન અલીમામદભાઈ સુમરા નામના 91 વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ઘર પાસે વણાંકમાં પડી જતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા અને ગાયત્રીનગર વાવડી રોડે રહેતા ચુનીભાઈ નાથાભાઈ (52) નામના આધેડ બાઈકમાં જતા હતા ત્યારે પડી જતા સારવારમાં લઈ જવાયા હતા.

તેમજ કચ્છના ભચાઉ તાલુકાના વાંન્ધીયા ગામના રમજુભાઈ ભગુભાઈ હાલા (52) બાઈક લઈને જતા હતા ત્યારે કચ્છના સામખીયારી-શિકારપુર વચ્ચે વાહન સ્લીપ થતા સારવારમાં મોરબી લવાયા હતા તો માળીયા (મીં)ના રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાઝ હનીફભાઈ મોવર (25)ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો






Latest News