માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકોની હાજરીમાં સ્પેસ એક્સિબિશન યોજાયું


SHARE











મોરબીની નવયુગ કોલેજ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકોની હાજરીમાં સ્પેસ એક્સિબિશન યોજાયું

મોરબી શહેરની નામાંકિત કોલેજ દ્વારા પટેલ સમાજ વાડી ખાતે નવયુગ કોલેજ દ્વારા દ્વિ દિવસીય સ્પેસ એક્સિબિશન નું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ એક્સિબિશનમાં સમગ્ર  મોરબી જિલ્લામાં વિવિધ સ્કૂલ અને કોલેજ દ્વારા ૫૦ જેટલી અવકાશ ને લગતી કૃતિઓ પ્રદર્શન રાખવામાં આવેલું હતુ.આ દ્વિદિવસીય સ્પેસ એક્ઝિબિશનમાં ઇશરો ના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડૉ.જે.જે.રાવલ, એસ.એલ.ભોરણીયા, એન્જિયનર જયંત પી.જોશી, ઇશરોના સાયન્ટીસ્ટ, પ્રો.(ડૉ.) હિતેશ માંડવીયા, દીપેનકુમાર ભટ્ટ, વિનોદ એમ.પટેલ ઇશરો સાયન્ટીસ્ટ, નીરવ પટેલ જેવા સાયન્ટીસ્ટ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.તેઓએ યુવાનો અવકાશીય વિજ્ઞાન પ્રત્યે વધુ રસ રુચિ કેળવે તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળકોને  સર્ટિફિકેટ આપી પ્રેરણા પૂરી પાડવામાં આવી. પ્રથમ, દ્વિતીય  અને તૃતીય નંબરે આવનાર બાળકને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી.મોરબી શહેરમાં શિક્ષણ ક્ષેત્ર હરહંમેશ કઈક નવું અને ઇનોવેટિવ કરવા માટે તત્પર રહેતા એવા પી.ડી.કાંજીયાની સંપૂર્ણ  કાર્યક્રમ દરમિયાન પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.જેમના માર્ગદર્શન અને સૂચિકા હેઠળ આ ભવ્ય કાર્યક્રમે સુંદર મજાનું સ્વરૂપ લીધું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કોલેજની તમામ ફેકલ્ટી તથા આચાર્ય વોરા એ જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.






Latest News