મોરબી જિલ્લાના ચકચારી બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી તલાટી મંત્રીના રેગ્યુલર જામીન માટેની અરજી રદ્દ મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતાં આગેવાનો મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન મોરબીમાં પોકસો, અપહરણ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપવાના કેસમાં પકડાયેલ આરોપી જામીન મુક્ત મોરબીના નવલખી રોડે ઓવર સ્પીડ-ઓવરલોડ વાહનો ઉપર લગામ મૂકવા આપની માંગ મોરબીમાં બાંધકામ મંજૂરી-બીયું પરમિશન માટેની સત્તા સરકારે મહાપલિકાને સુપ્રત કરી મોરબી: લીલા શાકભાજીને નિયમિત જીવનશૈલીમાં સ્થાનથી મેદસ્વિતા પર નિયંત્રણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલ યુવાનની ઓળખ મેળવવા તજવીજ


SHARE















વાંકાનેરમાં નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલ યુવાનની ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં નદીના વહેણમાં ડુબી જવાથી વ્યક્તિનું મોત નિપજતા તે અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તારીખ ૧૨/૦૮/૨૦૨૫ ના ૧૫:૦૦ વાગ્યા આસપાસ કોઇ અજાણી વ્યક્તિનું વાંકાનેર પાસે નદીના વહેણમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું. જેની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક પુરૂષ ઉંમર વર્ષ આશરે ૩૫ થી ૪૦ વર્ષ, ઘઉં વર્ણ, શરીરે મજબુત બાંધો છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. નારણભાઈ લાવડીયા અથવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.




Latest News