ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યા ભરો : પી.પી.જોષી


SHARE







મોરબીમાં સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યા ભરો : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા પત્ર લખીને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું છે કે હાલમાં મોરબી સીટી મામલતદાર ઓફિસની અંદર અનેક જગ્યાઓ ખાલી છે જે ભરવી જોઈએ કારણ કે પદ ખાલી હોવાના કારણે અધિકારીઓની ગેરહાજરીના લીધે લોકોના કામ ખોરંભે પડે છે માટે ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઈએ.

તેઓની રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટીમંત્રી સહિત આશરે દશેક (૧૦) જગ્યા ખાલી છે જે ધણા સમયથી ખાલી છે.અરજદારોને ધણી જ તકલીફ પડે છે. તેમજ મધ્યાન ભોજન નાયબ મામલતદારની જગ્યા પણ ખાલી છે.જેથી હાલમાં ચાર્જ મોરબી તાલુકા પાસે છે જે મોરબી સીટી નાયબ મામલતદાર મધ્યાન ભોજનની જગ્યા ભરવી જરૂરી છે.તેમજ એટીવીટીમા પણ ધણી જગ્યાઓ ખાલી પડેલ છે જેથી અરજદારોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અહીંયા દરરોજના પચાસથી સો જેટલા અરજદારો આવે છે.પરંતુ તેમને બેસવા માટે ફકત ત્રણ ખુરશીઓ રાખેલ છે.જયારે કલેકટર કચેરીમાં લીફટની બાજુમાં દસ જેટલી ખુરશીઓ બીન જરૂરી પડેલ છે.જે વ્યાજબી નથી તે વધારાની ખુરશીઓ મોરબી સીટી મામલતદારને ફાળવી આપવી જોઈએ.જેથી અરજદાર બેસી શકે આજે અરજદાર જેમ જેલમાં સજા ભોગવતા હોય તેમ લોબીમાં નીચે બેઠા હોય છે ! જે ખુબ જ દુખદ બીના છે.તાજેતરમાં જાણવા મળેલ છે કે મોરબી તાલુકાના મામલતદારની બદલી થયેલ છે પરંતુ જયાં સુધી કાયમી મામલતદારની નિમણુંક ન થાય ત્યાં સુધી તેના છુટા ન કરવા જોઈએ ટુંકા ગાળામાં તેમની બદલી કરેલ છે.તે પણ તપાસનો વિષય છે.આ મામલતદાર મોરબી તાલુકામાં આવ્યા બાદ એકપણ ફરિયાદ તેમના વિરૂધ નથી સારા અને હોશીયાર મામલતદાર છે અને પ્રજાને તેમની કામગીરીથી પુરો સંતોષ છે અને દરેક અરજદારને વ્યવસ્થીત સાંભળે છે જયારે આવા મામલતદારની બદલી થાય જે વ્યાજબી નથી તો આ બાબતે ફેર વિચારણા કરવા પણ રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News