ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે
Breaking news
Morbi Today

મોરબીમાં સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યા ભરો : પી.પી.જોષી


SHARE













મોરબીમાં સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યા ભરો : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા પત્ર લખીને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું છે કે હાલમાં મોરબી સીટી મામલતદાર ઓફિસની અંદર અનેક જગ્યાઓ ખાલી છે જે ભરવી જોઈએ કારણ કે પદ ખાલી હોવાના કારણે અધિકારીઓની ગેરહાજરીના લીધે લોકોના કામ ખોરંભે પડે છે માટે ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઈએ.

તેઓની રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટીમંત્રી સહિત આશરે દશેક (૧૦) જગ્યા ખાલી છે જે ધણા સમયથી ખાલી છે.અરજદારોને ધણી જ તકલીફ પડે છે. તેમજ મધ્યાન ભોજન નાયબ મામલતદારની જગ્યા પણ ખાલી છે.જેથી હાલમાં ચાર્જ મોરબી તાલુકા પાસે છે જે મોરબી સીટી નાયબ મામલતદાર મધ્યાન ભોજનની જગ્યા ભરવી જરૂરી છે.તેમજ એટીવીટીમા પણ ધણી જગ્યાઓ ખાલી પડેલ છે જેથી અરજદારોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અહીંયા દરરોજના પચાસથી સો જેટલા અરજદારો આવે છે.પરંતુ તેમને બેસવા માટે ફકત ત્રણ ખુરશીઓ રાખેલ છે.જયારે કલેકટર કચેરીમાં લીફટની બાજુમાં દસ જેટલી ખુરશીઓ બીન જરૂરી પડેલ છે.જે વ્યાજબી નથી તે વધારાની ખુરશીઓ મોરબી સીટી મામલતદારને ફાળવી આપવી જોઈએ.જેથી અરજદાર બેસી શકે આજે અરજદાર જેમ જેલમાં સજા ભોગવતા હોય તેમ લોબીમાં નીચે બેઠા હોય છે ! જે ખુબ જ દુખદ બીના છે.તાજેતરમાં જાણવા મળેલ છે કે મોરબી તાલુકાના મામલતદારની બદલી થયેલ છે પરંતુ જયાં સુધી કાયમી મામલતદારની નિમણુંક ન થાય ત્યાં સુધી તેના છુટા ન કરવા જોઈએ ટુંકા ગાળામાં તેમની બદલી કરેલ છે.તે પણ તપાસનો વિષય છે.આ મામલતદાર મોરબી તાલુકામાં આવ્યા બાદ એકપણ ફરિયાદ તેમના વિરૂધ નથી સારા અને હોશીયાર મામલતદાર છે અને પ્રજાને તેમની કામગીરીથી પુરો સંતોષ છે અને દરેક અરજદારને વ્યવસ્થીત સાંભળે છે જયારે આવા મામલતદારની બદલી થાય જે વ્યાજબી નથી તો આ બાબતે ફેર વિચારણા કરવા પણ રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News