મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યા ભરો : પી.પી.જોષી


SHARE











મોરબીમાં સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યા ભરો : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા પત્ર લખીને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું છે કે હાલમાં મોરબી સીટી મામલતદાર ઓફિસની અંદર અનેક જગ્યાઓ ખાલી છે જે ભરવી જોઈએ કારણ કે પદ ખાલી હોવાના કારણે અધિકારીઓની ગેરહાજરીના લીધે લોકોના કામ ખોરંભે પડે છે માટે ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઈએ.

તેઓની રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટીમંત્રી સહિત આશરે દશેક (૧૦) જગ્યા ખાલી છે જે ધણા સમયથી ખાલી છે.અરજદારોને ધણી જ તકલીફ પડે છે. તેમજ મધ્યાન ભોજન નાયબ મામલતદારની જગ્યા પણ ખાલી છે.જેથી હાલમાં ચાર્જ મોરબી તાલુકા પાસે છે જે મોરબી સીટી નાયબ મામલતદાર મધ્યાન ભોજનની જગ્યા ભરવી જરૂરી છે.તેમજ એટીવીટીમા પણ ધણી જગ્યાઓ ખાલી પડેલ છે જેથી અરજદારોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અહીંયા દરરોજના પચાસથી સો જેટલા અરજદારો આવે છે.પરંતુ તેમને બેસવા માટે ફકત ત્રણ ખુરશીઓ રાખેલ છે.જયારે કલેકટર કચેરીમાં લીફટની બાજુમાં દસ જેટલી ખુરશીઓ બીન જરૂરી પડેલ છે.જે વ્યાજબી નથી તે વધારાની ખુરશીઓ મોરબી સીટી મામલતદારને ફાળવી આપવી જોઈએ.જેથી અરજદાર બેસી શકે આજે અરજદાર જેમ જેલમાં સજા ભોગવતા હોય તેમ લોબીમાં નીચે બેઠા હોય છે ! જે ખુબ જ દુખદ બીના છે.તાજેતરમાં જાણવા મળેલ છે કે મોરબી તાલુકાના મામલતદારની બદલી થયેલ છે પરંતુ જયાં સુધી કાયમી મામલતદારની નિમણુંક ન થાય ત્યાં સુધી તેના છુટા ન કરવા જોઈએ ટુંકા ગાળામાં તેમની બદલી કરેલ છે.તે પણ તપાસનો વિષય છે.આ મામલતદાર મોરબી તાલુકામાં આવ્યા બાદ એકપણ ફરિયાદ તેમના વિરૂધ નથી સારા અને હોશીયાર મામલતદાર છે અને પ્રજાને તેમની કામગીરીથી પુરો સંતોષ છે અને દરેક અરજદારને વ્યવસ્થીત સાંભળે છે જયારે આવા મામલતદારની બદલી થાય જે વ્યાજબી નથી તો આ બાબતે ફેર વિચારણા કરવા પણ રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News