ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ૧૦૪ ગામ વચ્ચે એક જ પોલીસ સ્ટેશન હોય તેને બે ભાગમાં વહેંચવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત


SHARE













મોરબી તાલુકાના ૧૦૪ ગામ વચ્ચે એક જ પોલીસ સ્ટેશન હોય તેને બે ભાગમાં વહેંચવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નીચે એકસો ચાર (૧૦૪) જેટલા ગામો આવેલ છે.! તાલુકા વિસ્તારમાં અનેક કારખાનાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના વાડી-ખેરતો તેમજ અનેક અતિ સંવેદનશિલ જગ્યાઓ આવેલ હોય ખુબ જ કામગીરી રહે છે અને સમયસર ગુનાઓ અને ફરીયાદોનો નિકાલ કરવામાં ઘણો જ સમય લાગે છે.જો પીપળીયા ચાર રસ્તા ખાતે નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો આશરે પચાસ જેટલા ગામડાઓને તેનો લાભ મળે તેમ છે.તેવી અહીંના જાગૃત નાગરીકે સીએમને રજુઆત કરેલ છે.

હાલમાં દુરથી એટલે કે આમરણ વિસ્તારના ગામો પણ મોરબી તાલુકામાં સમાવેશ કરેલ છે જેથી અરજદારોએ ધણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મોંઘાદાટ ભાડા ખર્ચીને મોરબી તાલુકા પોલીસ મથકે આવવું પડે છે.જો નવલખી આઉટ પોસ્ટ તથા વવાણીયા આઉટ પોસ્ટ આ બંન્ને પીપળીયા ચાર રસ્તા ખાતે પોલીસ સ્ટેશન ખોલવામા આવે તો માળીયા (મીંયાણા) પોલીસની પણ કામગીરીનું ભારણ ઓછુ થાય તેમ છે.કારણ કે માળીયા પણ હાઈવે સાથે જોડાયેલ હોય અવાર નવાર અકસ્માત કે ચોરીના બનાવો બને છે જેથી ત્યાં પણ વધુ કામગીરી રહે છે.જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને એ-બી એમ બે પોલીસ સ્ટેશનમાં વહેંચીને નવલખી રોડ પીપળીયા ચાર રસ્તા પાસે નવુ પોલીસ સ્ટેશન ખોલવુ ધણુ જ જરૂરી છે.જેથી અરજદારો અને ફરીયાદીઓને ખોટા મોરબી ખાતે ધક્કા થાય છે અને નાણાનો ખર્ચ થાય છે અને સમય બરબાદ થાય છે તેની બચત થશે.ભુતકાળમાં મોરબી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં સ્ટાફ પુરતો હતો આજે સ્ટાફની પણ ઘટ છે જેથી મુશ્કેલી પડે છે.તેમા પણ અવાર નવાર આવતા બંદોબસ તથા પાયલોટીંગને કારણે પ્રજાને મુશ્કેલી પડે છે તો આ બાબતે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરીક પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંધવી અને રાજકોટ રેન્જ આઈજી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News