મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ઘર પાસે મરી ગયેલ વાંછરડુ ફેંકીને મહિલા સરપંચને મારી નાખવાની ધમકી


SHARE







હળવદના ચરાડવા ગામે ઘર પાસે મરી ગયેલ વાંછરડુ ફેંકીને મહિલા સરપંચને મારી નાખવાની ધમકી !

હળવદના ચરડવા ગામે મહિલા સરપંચના ઘર પાસે મરી ગયેલું વાંછરડુ બાઇકની પાછળ બાંધીને ફેંકી ગયેલા શખ્સે મહિલા સરપંચ તથા સાહેદોને ગાળો આપી હતી તેની સરપંચ સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલા સરપંચ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરડવા ગામના સરપંચ લક્ષ્મીબેન રતિલાલ પરમાર (65) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલ હસમુખભાઈ ચૌહાણ રહે. ચરાડવા વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ ચરાડવા ગામના સરપંચ હોવાથી આરોપીએ પોતાના ઘરની પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટમાં ગાયનું વાછરડું મરી ગયેલ હોય તેને પોતાના મોટરસાયકલ ની પાછળ બાંધીને ફરિયાદીના ઘરની સામે નાખ્યુ હતુ અને ત્યારબાદ ફરિયાદી અને સાહેદોને ગાળો આપીને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા સરપંચ દ્વારા હળદળ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News