મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: વિજેતા બનેલા ઉમેદવારોના નામ
Breaking news
Morbi Today

વાંકાનેરના સતાપર ગામે ખેતરમાં ઘૂસીને 10 શખ્સોએ 12 વીઘા જમીનમાં ઊભા કપાસને ઉખેડી નાખ્યો, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 લાખનું નુકશાન


SHARE













વાંકાનેરના સતાપર ગામે ખેતરમાં ઘૂસીને 10 શખ્સોએ 12 વીઘા જમીનમાં ઊભા કપાસને ઉખેડી નાખ્યો, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 લાખનું નુકશાન

વાંકાનેરના સતાપર ગામે રહેતા યુવાનના ખેતરમાં 10 શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને યુવાન તેના તેના ખેતરમાં કામ કરતાં તેના પરિવારના સભ્યોને ગાળો આપી હતી અને તેઓને ખેતરની બહાર કાઢીને ખેતીની 12 વીઘા જમીનમાં ઉભા કપાસને કાઢી નાખવામાં આવ્યો હતો અને યુવાનને 4 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે તથા જાનથી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેછે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા અને ખેતી કામ કરતા કિશનભાઈ માધાભાઈ રંગપરા (25)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હીરાભાઈ રતાભાઇ, રસિકભાઈ નાગજીભાઈ, અજયભાઈ વાલાભાઈ,નાભાઈ લવાભાઇ, કરસનભાઈ લખમણભાઇ, મનાભાઈ પુજાભાઈ, કાનાભાઈ સોમાભાઈ, માલાભાઈ લખમણભાઇ, રાજુભાઈ ખીમાભાઈ અને સંજયભાઈ વાલાભાઈ રહે. બધા સતાપર વાળા અને બીજા અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના ઘરના સભ્યો પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ તેઓના ખેતરમાં આવ્યા હતા અને પથ્થર મારો કરીને ખેતરમાં પ્રવેશવાનો દરવાજો તોડી નાખ્યો હતો ત્યાર બાદ ખેતરમાં ફરિયાદી તથા તેના ઘરના સભ્યો ખેતી કામ કરતા હતા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ફરિયાદીને તેઓના ખેતરમાંથી બહાર કાઢી મૂકીને તેઓના ખેતરમાં આશરે 12 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું તે કપાસ કાઢી નાખવામાં આવ્યો છે જેથી ફરિયાદીને 4 ચાર લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે તેમજ ફરિયાદી સહીતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News