માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સતાપર ગામે ખેતરમાં ઘૂસીને 10 શખ્સોએ 12 વીઘા જમીનમાં ઊભા કપાસને ઉખેડી નાખ્યો, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 લાખનું નુકશાન


SHARE













વાંકાનેરના સતાપર ગામે ખેતરમાં ઘૂસીને 10 શખ્સોએ 12 વીઘા જમીનમાં ઊભા કપાસને ઉખેડી નાખ્યો, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 લાખનું નુકશાન

વાંકાનેરના સતાપર ગામે રહેતા યુવાનના ખેતરમાં 10 શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને યુવાન તેના તેના ખેતરમાં કામ કરતાં તેના પરિવારના સભ્યોને ગાળો આપી હતી અને તેઓને ખેતરની બહાર કાઢીને ખેતીની 12 વીઘા જમીનમાં ઉભા કપાસને કાઢી નાખવામાં આવ્યો હતો અને યુવાનને 4 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે તથા જાનથી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેછે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા અને ખેતી કામ કરતા કિશનભાઈ માધાભાઈ રંગપરા (25)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હીરાભાઈ રતાભાઇ, રસિકભાઈ નાગજીભાઈ, અજયભાઈ વાલાભાઈ,નાભાઈ લવાભાઇ, કરસનભાઈ લખમણભાઇ, મનાભાઈ પુજાભાઈ, કાનાભાઈ સોમાભાઈ, માલાભાઈ લખમણભાઇ, રાજુભાઈ ખીમાભાઈ અને સંજયભાઈ વાલાભાઈ રહે. બધા સતાપર વાળા અને બીજા અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના ઘરના સભ્યો પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ તેઓના ખેતરમાં આવ્યા હતા અને પથ્થર મારો કરીને ખેતરમાં પ્રવેશવાનો દરવાજો તોડી નાખ્યો હતો ત્યાર બાદ ખેતરમાં ફરિયાદી તથા તેના ઘરના સભ્યો ખેતી કામ કરતા હતા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ફરિયાદીને તેઓના ખેતરમાંથી બહાર કાઢી મૂકીને તેઓના ખેતરમાં આશરે 12 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું તે કપાસ કાઢી નાખવામાં આવ્યો છે જેથી ફરિયાદીને 4 ચાર લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે તેમજ ફરિયાદી સહીતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News