મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પોલીસ કોન્સ્ટેબલના આગોતરા જામીન મંજુર


SHARE













મોરબીમાં કરેલા આપઘાતના ચકચારી કેસમાં ૧૧ સામે ગુનો નોંધાયો હતો જે પૈકીના પોલીસ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા વકીલ મારફતે આગોતરા જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ બનાવની ટુકમાં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પોલીસ સ્ટોશન ખાતે બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ની કલમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ ની ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે તેનો ભાઈ નીલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પી જઈ આપઘાત કર્યો હતો ત્યાર બાદ કુલ ૧૧ આરોપીઓ સામે વ્યાજના પૈસાના દબાણના કારણે આપઘાત કરી મરણ ગયેલ હોય તે મતબલની ફરીયાદ જાહેર કરેલ હતી અને જેની સામે દુનો નોંધાયો હતો તેમા ફરીયાદીએ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલનુ પણ આરોપી તરીકે નામ આપેલ હતુ જેથી યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત આગોતરા જામીન અરજી કરી હતી. અને આરોપી યોગીરાજસિંહના વકીલ મનીષ પી. ઓઝાએ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી ઘારદાર દલીલ કરતા મોરબીના સેશન્સ જજ નાદપરાસાહેબે આરોપી યોગીરાજસિંહને ૫૦,૦૦૦ ના શરતોને આધિન આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.




Latest News