મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પોલીસ કોન્સ્ટેબલના આગોતરા જામીન મંજુર


SHARE











મોરબીમાં કરેલા આપઘાતના ચકચારી કેસમાં ૧૧ સામે ગુનો નોંધાયો હતો જે પૈકીના પોલીસ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા વકીલ મારફતે આગોતરા જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ બનાવની ટુકમાં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પોલીસ સ્ટોશન ખાતે બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ની કલમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ ની ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે તેનો ભાઈ નીલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પી જઈ આપઘાત કર્યો હતો ત્યાર બાદ કુલ ૧૧ આરોપીઓ સામે વ્યાજના પૈસાના દબાણના કારણે આપઘાત કરી મરણ ગયેલ હોય તે મતબલની ફરીયાદ જાહેર કરેલ હતી અને જેની સામે દુનો નોંધાયો હતો તેમા ફરીયાદીએ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલનુ પણ આરોપી તરીકે નામ આપેલ હતુ જેથી યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત આગોતરા જામીન અરજી કરી હતી. અને આરોપી યોગીરાજસિંહના વકીલ મનીષ પી. ઓઝાએ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી ઘારદાર દલીલ કરતા મોરબીના સેશન્સ જજ નાદપરાસાહેબે આરોપી યોગીરાજસિંહને ૫૦,૦૦૦ ના શરતોને આધિન આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.






Latest News