મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારા મોરબી હાઇવે રોડના ખાડામાં બુરવા માટે તંત્રને મહેશ રાજકોટિયાનું એક સપ્તાહનું અલ્ટીમેટમ


SHARE











ટંકારા મોરબી હાઇવે રોડના ખાડામાં બુરવા માટે તંત્રને મહેશ રાજકોટિયાનું એક સપ્તાહનું અલ્ટીમેટમ

ટંકારાથી મોરબી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત મગરના પિઠ જેવી થઈ જતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ટંકારા કોંગ્રેસના કદાવર નેતા મહેશ રાજકોટિયાએ ટંકારા મોરબી હાઇવે રોડના ખાડા બુરવા માટે તંત્રને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો કામ નહીં કરવામાં આવે તો કચ્છને જોડતા હાઇવેને ચક્કાજામ કરવામાં આવશે.

વધુમાં મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, આ રોડના ઈન્ચાર્જ રાજકોટ ડિવિઝનના એસ.આર. પટેલનો સંપર્ક કરીને રોડની હાલની સ્થિતિની માહિતી તેમણે આપવામાં આવી હતી અને આ રોડ તાત્કાલિક એક અઠવાડિયામાં પેચવર્ક કરીને ચાલવા લાયક બનાવવા માટેની રજૂઆત કરી છે અને જો કોઈ બાના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો નાછુટકે તેઓની ટિમ દ્વારા કચ્છને જોડતો રાજકોટ મોરબી રોડ બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે, ઈન્ચાર્જ ઈજનેર એસ.આર.પટેલે જણાવ્યુ હતું કે, તાકીદે કોન્ટ્રાક્ટરને ફ્લો વર્ક કરી અઠવાડિયામાં પ્લાન ચાલુ કરવા અને જરૂરી પેચવર્ક કરવા આદેશ આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી વાવડી ચોકડી, પીપળીયા ચોકડી, દલવાડી સર્કલ, શનાળા ચોકડી, લજાઈ ચોકડી, ટંકારા ચોકડી ઉપર ખાડા છે ત્યારે લોકોને શરરિક અને આર્થિક નુકશાન થાય છે. તેમજ ટ્રાફિક જામ થાય છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો ત્યાં પણ ખાડા બુરવા માટે કામ નહિ કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.






Latest News