મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા


SHARE







મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે નવનિર્મિત શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ગઈકાલ તા.૯ ના રોજ ગણેશ સ્થાપના કર્યા બાદ આજે તા.૧૦-૧૨ ને શુક્રવારના રોજ જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા યોજાનાર છે.આજે બપોરે ૨ કલાકે  જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા બાદ આવતીકાલ તા.૧૧ ને શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં બપોરના ૧૧:૫૦ કલાકે ભગવાનની નિજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ યજ્ઞ યોજાશે અને યજ્ઞ બાદ બપોરના ૩:૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે અને સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તેમ પાટીદાર ટાઉનશીપના ગીરીશભાઇ મેથાણીયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News