મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા


SHARE









મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે નવનિર્મિત શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ગઈકાલ તા.૯ ના રોજ ગણેશ સ્થાપના કર્યા બાદ આજે તા.૧૦-૧૨ ને શુક્રવારના રોજ જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા યોજાનાર છે.આજે બપોરે ૨ કલાકે  જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા બાદ આવતીકાલ તા.૧૧ ને શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં બપોરના ૧૧:૫૦ કલાકે ભગવાનની નિજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ યજ્ઞ યોજાશે અને યજ્ઞ બાદ બપોરના ૩:૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે અને સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તેમ પાટીદાર ટાઉનશીપના ગીરીશભાઇ મેથાણીયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News