મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE











હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદ શહેરમાં રહેતા આધેડના કૌટુંબિક ભાઈએ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને એક વ્યક્તિને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલાખોરને સમજાવવા માટે થઈને ગયેલ આધેડ સહિતના ત્રણ વ્યક્તિઓને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બે વ્યક્તિને છરીના ઘા મારીને ઈજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના સરા રોડ ઉપર રહેતા મનસુખભાઈ પુંજાભાઈ રાઠોડ (51)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમન હસમુખભાઈ પરમાર, કાર્તિક હસમુખભાઈ પરમાર, મોહિત હસમુખભાઈ પરમાર, કલ્પેશ હસમુખભાઈ પરમાર અને હિંમત કાનજીભાઈ પરમાર રહે બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેના કૌટુંબિક ભાઈએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેનું મન દુઃખ રાખીને અમન પરમારે સાહેદ દિનેશભાઈને બાબાસાહેબ શોપિંગ સેન્ટરની પાછળના ભાગમાં તળાવ કાંઠે ધોકા વડે માર માર્યો હતો જે બાબતે ફરિયાદી તથા સાહેદો તેને સમજાવવા માટે જતા અમન પરમારે સાહેદ રાકેશભાઈ મનસુખભાઈ રાઠોડ ઉપર છરી વડે પીઠના ભાગે હુમલો કરીને ગંભીર ઈજા કરી હતી તથા કાર્તિક પરમારે સાહેદ બૂટાભાઈ જીવાભાઇ રાઠોડને છરી વડે પીઠના વાગે ઘા મારીને તથા હાથના ભાગે ગંભીર ઇજા કરી હતી જ્યારે મોહિત પરમારે સાહેદોને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મનસુખભાઈ રાઠોડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News