મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.


SHARE













સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરીમહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.

દિપોત્સવ તેમજ નુતનવર્ષની શુભકમના પાઠવતાં કચ્છ - મોરબીનાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન, નખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા) મધ્યે ભાઇબીજનાં સાંજે સ્નેહ મિલન, શ્રી રામદેવજી મહારાજ મંદિરે પાટકોરી, મહાપ્રસાદ તથા રાત્રે સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે શ્રી રામદેવપીરની અસીમ કૃપા પૂ. સતાદાદાનાં આશિષથી તા. ૨૩/૧૦ ગુરૂવારે ભાઈભીજનાં પાવનદિને પૂ. રામદેવપીરની પાટકોરી, મહાપ્રસાદ તેમજ દિપ પર્વની ઉજવણી સાથે નુતનવર્ષની શુભકામનાંઓના આદાન પ્રદાન માટે સ્નેહમિલન સાથે સાથે સંતવાણીનાં કાર્યક્રમનું સુખપર (રોહા) શ્રી રામદેવજી મહારાજ મંદિરે આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છ - મોરબીનાં ભાજપ અધ્યક્ષ, ધારાસભ્યઓ, ભાજપ સંગઠન, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી તેમજ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પ્રમુખઓની વિશેષ ઉપસ્થિતિમાં સર્વ સ્નેહીજનો, મિત્ર વર્તુળ, ભાજપ પક્ષનાં સર્વે હોદેદારો, કાર્યકરો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તથા અન્ય સેવાકીય સંસ્થાઓ પ્રતિનિધિઓ, પત્રકારમિત્રો, આસપાસના ગ્રામજનો, જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દીપોત્સવી પરમ પ્રેરણાનું પર્વ છે. નવા ઉત્સાહ અને આનંદનાં પર્વને આપણે સૌ સાથે મળી ઉજવીયે તેવી શુભકામના સાથે સર્વેને ભાવભર્યું નિમંત્રણ સાંસદ  વિનોદભાઈ ચાવડાએ પાઠવેલ હતું.




Latest News