તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.


SHARE











સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરીમહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.

દિપોત્સવ તેમજ નુતનવર્ષની શુભકમના પાઠવતાં કચ્છ - મોરબીનાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન, નખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા) મધ્યે ભાઇબીજનાં સાંજે સ્નેહ મિલન, શ્રી રામદેવજી મહારાજ મંદિરે પાટકોરી, મહાપ્રસાદ તથા રાત્રે સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે શ્રી રામદેવપીરની અસીમ કૃપા પૂ. સતાદાદાનાં આશિષથી તા. ૨૩/૧૦ ગુરૂવારે ભાઈભીજનાં પાવનદિને પૂ. રામદેવપીરની પાટકોરી, મહાપ્રસાદ તેમજ દિપ પર્વની ઉજવણી સાથે નુતનવર્ષની શુભકામનાંઓના આદાન પ્રદાન માટે સ્નેહમિલન સાથે સાથે સંતવાણીનાં કાર્યક્રમનું સુખપર (રોહા) શ્રી રામદેવજી મહારાજ મંદિરે આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છ - મોરબીનાં ભાજપ અધ્યક્ષ, ધારાસભ્યઓ, ભાજપ સંગઠન, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી તેમજ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પ્રમુખઓની વિશેષ ઉપસ્થિતિમાં સર્વ સ્નેહીજનો, મિત્ર વર્તુળ, ભાજપ પક્ષનાં સર્વે હોદેદારો, કાર્યકરો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તથા અન્ય સેવાકીય સંસ્થાઓ પ્રતિનિધિઓ, પત્રકારમિત્રો, આસપાસના ગ્રામજનો, જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દીપોત્સવી પરમ પ્રેરણાનું પર્વ છે. નવા ઉત્સાહ અને આનંદનાં પર્વને આપણે સૌ સાથે મળી ઉજવીયે તેવી શુભકામના સાથે સર્વેને ભાવભર્યું નિમંત્રણ સાંસદ  વિનોદભાઈ ચાવડાએ પાઠવેલ હતું.






Latest News