ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
Breaking news
Morbi Today

સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.


SHARE

























સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરીમહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.

દિપોત્સવ તેમજ નુતનવર્ષની શુભકમના પાઠવતાં કચ્છ - મોરબીનાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન, નખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા) મધ્યે ભાઇબીજનાં સાંજે સ્નેહ મિલન, શ્રી રામદેવજી મહારાજ મંદિરે પાટકોરી, મહાપ્રસાદ તથા રાત્રે સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે શ્રી રામદેવપીરની અસીમ કૃપા પૂ. સતાદાદાનાં આશિષથી તા. ૨૩/૧૦ ગુરૂવારે ભાઈભીજનાં પાવનદિને પૂ. રામદેવપીરની પાટકોરી, મહાપ્રસાદ તેમજ દિપ પર્વની ઉજવણી સાથે નુતનવર્ષની શુભકામનાંઓના આદાન પ્રદાન માટે સ્નેહમિલન સાથે સાથે સંતવાણીનાં કાર્યક્રમનું સુખપર (રોહા) શ્રી રામદેવજી મહારાજ મંદિરે આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છ - મોરબીનાં ભાજપ અધ્યક્ષ, ધારાસભ્યઓ, ભાજપ સંગઠન, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી તેમજ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પ્રમુખઓની વિશેષ ઉપસ્થિતિમાં સર્વ સ્નેહીજનો, મિત્ર વર્તુળ, ભાજપ પક્ષનાં સર્વે હોદેદારો, કાર્યકરો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ તથા અન્ય સેવાકીય સંસ્થાઓ પ્રતિનિધિઓ, પત્રકારમિત્રો, આસપાસના ગ્રામજનો, જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દીપોત્સવી પરમ પ્રેરણાનું પર્વ છે. નવા ઉત્સાહ અને આનંદનાં પર્વને આપણે સૌ સાથે મળી ઉજવીયે તેવી શુભકામના સાથે સર્વેને ભાવભર્યું નિમંત્રણ સાંસદ  વિનોદભાઈ ચાવડાએ પાઠવેલ હતું.




Latest News