મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનની મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સમીક્ષા કરાઇ


SHARE













મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનની મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સમીક્ષા કરાઇ

મોરબી જિલ્લામાં ઓક્ટોબર- 2025 માં પડેલ કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાન થયેલ છે તેની સમિક્ષા બેઠકનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરી આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ, ધારાસભ્ય, ઇન્ચાર્જ કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને ત્યારે મંત્રીએ જરૂરી સૂચન કર્યા હતા.

મોરબી કલેક્ટર કચેરીના સભા ખંડમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ખેતી પાકમાં થયેલ નુકશાનની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ બની કામગીરી કરી રહી છે, ત્યારે અધિકારી/ કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવી ખેડૂતો માટે કામગીરી કરે તે જરૂરી છે. અને નુકસાની સર્વેની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરીને કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા મંત્રીએ અધિકારીને તાકીદ કરી હતી.

આટલુ જ નહીં હાલમાં સર્વે માટે જે ટીમો બનાવવામાં આવેલ છે તેમાં જરૂર હોય તો વધારે ટીમોની રચના કરવા માટેની પણ સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકાવાર અને પાકવાર ફાઈનલ વાવેતર મુજબ ખરીફ પાક-2025 ની સ્થિતિ, વર્ષ-2025 માં વરસાદના આંકડા, જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનની તાલુકાવાર વિગતો, નુકસાનગ્રસ્ત વિસ્તાર અને સર્વેની જોગવાઈ અને અમલવારી સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી, ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, ઇન્ચાર્જ ડીડીઓ નવલદાન ગઢવી, એસપી મુકેશ પટેલ, ઇન્ચાર્જ અધિક કલેક્ટર ઉમંગ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા સહિતના પદાધિકારીઓ અને પ્રાંત અધિકારી, મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, જિલ્લા ખેતવાડી અધિકારી સહિતના હાજર રહ્યા હતા






Latest News