શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત


SHARE







હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત

હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે અપૂરતી છે અને પથરાળ જમીન હોવાથી દફનવિધિ કરવી મુશ્કેલરૂપ બને છે જેથી ચરાડવા ગામના અનુ.જાતિ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે નવી જમીનની ફાળવણી કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી મહિલાઓ સહિત કુલ 100 જેટલા લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે આજની તારીખે ચરાડવા ગામે અનુ. જાતિના આશરે 2500 જેટલા લોકોની વસ્તી છે જો કે, સ્મશાનમાં દફનવિધિ કરવા માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે અપૂર્તિ અને સંપૂર્ણ જમીન પથરાહોવાના કારણે તે દફનવિધિ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે અને સામાન્ય રીતે લોકો ખાડો ખોદીને દફનવિધિ કરી શકતા નથી તેઓને જેસીબી જેવા મશીનરીને બોલાવવી પડે છે જેનું આર્થિક ભારણ તે લોકો ઉપર આવેલ છે જેથી અનુ.જાતિ સમાજ માટે નવી જગ્યાએ સ્મશાનની જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

વધુમાં રજૂઆત કરવા માટે આવેલા લોકોએ જણાવ્યું હતું કે, સ્મશાન માટે અપૂરતી જમીન હોવાના કારણે કોઈ વ્યક્તિની દફનવિધિ કરવા માટે જાય છે ત્યારે ત્યાં ખાડો ખોદવામાં આવે તો અગાઉ જેની દફનવિધિ કરવામાં આવી હોય છે તેના અવશેષો ખોદકામ દરમિયાન બહાર નીકળી જતા હોય છે જેથી તેના પરિવારની લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે જેથી સ્મશાન માટે પૂરતી જમીન ફાળવવામાં આવે તે જરૂરી છે વધુમાં લોકોએ એવું પણ જણાવ્યું હતું કે અગાઉ વર્ષ 2016, 2018 અને 2024 માં નિયત નમૂનામાં સ્મશાન માટે વિવિધ અરજીઓ કરવામાં આવી હતી અને ત્યારે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે “માંગણી વાળી જમીન રોડ ટચ હોવાથી ભવિષ્યમાં ત્યાં સરકારી કચેરી બનાવવા માટે જમીનને રિઝર્વમાં રાખવામાં આવેલ છે” પરંતુ અનુ. જાતિ દ્વારા સ્મશાનની જમીન માટે જે માંગણી કરાઇ છે તેને ધ્યાને લઈને અધિકારી દ્વારા યોગ્ય હુકમ કરવામાં આવે તેવી માંગણી અને લાગણી રજૂઆત કરવા આવેલા લોકોએ વ્યક્ત કરી હતી






Latest News