મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ત્રણ વખત જમવાની માંગવા છતાં ન આપતી મહિલાના મોબાઈલને પતિએ તોડી નાખતા કર્યો આપઘાત: માળીયા (મી)ના ખાખરેચી ગામનો બનાવ


SHARE





ત્રણ વખત જમવાની માંગવા છતાં ન આપતી મહિલાના મોબાઈલને પતિએ તોડી નાખતા કર્યો આપઘાત: માળીયા (મી)ના ખાખરેચી ગામનો બનાવ

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા યુવાનની પત્નીને યુવાને જમવાનું આપવા માટે બેથી ત્રણ વખત કહ્યું હતું અને ત્યારે તેની પત્ની મોબાઈલ જોતી હતી જેથી યુવાન અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ યુવાને ગુસ્સામાં આવીને તેની પત્નીના હાથમાં રહેલ મોબાઈલ ફોનને તોડી નાખ્યો હતો જેથી મનોમન લાગી આવતા મહિલાએ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ એક્ઝીશન કારખાનાના લેબલ કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નેત્રસિંહ રામપ્રતાપસિંહ ગોડ (25ના પત્ની રાખીસિંહ ગોડ (19એ લેબર કવાર્ટરની અંદર લોખંડની એંગલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને તેના પતિ નેત્રસિંહએ બેથી ત્રણ વખત જમવાનું કાઢવા માટે કહ્યું હતું પરંતુ તેની પત્ની મોબાઇલ જોતી હોય તેણે જમવાનું પીરસ્યું ન હતું જે બાબતે પતિ એન પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારે નેત્રસિંહ તેના પત્નીના હાથમાં રહેલ મોબાઈલ ફોન લઈને તોડી નાખ્યો હતો જેથી ઝઘડા અને મોબાઈલ તોડી નાખવા બાબતે મનોમન લાગી આવતા મહિલાએ લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News