જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ !
વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો
SHARE
વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો
વાંકાનેરના સરકારકા ગામે રહેતા માલધારી પોતાના ઘેટા બકરાને વાડામાં પૂરતા હતા ત્યારે તે જ ગામની અંદર રહેતા એક શખ્સ દ્વારા ઘેટા બકરાને કેમ ચલાવતો નથી તેમ કહીને માલધારીને ગાળો આપી હતી અને બાદમાં ઢીકાપાટુનો અને લોખંડના પાઇપ વડે શરીરે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના સરકારકા ગામે રહેતા નાથાભાઈ મયાભાઈ મુંધવા (55)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયરાજસિંહ બટુકસિંહ ઝાલા રહે. સરધારકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે વાડામાં ઘેટા બકરા પૂરતા હતા ત્યારે આરોપીએ તેને કહ્યું હતું કે “તું ઘેટા બકરા કેમ ચલાવતો નથી” ત્યાર બાદ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો આપીને ફરિયાદીને છાતીમાં તથા વાસના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો અને સફેદ કલરની ગાડીમાંથી પાઇપ લઈ આવીને ફરિયાદીને હાથના કાંડા ઉપર પાઇપ માર્યો હતો તેમજ શરીરે ઇજાઓ કરી હતી અને જતા જતા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે