મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


SHARE













મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં તકસીરવાનને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કર્યો છે.

તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નની ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકિકત જોઈએ તો, ફરીયાદી એવા મોરબીના વતની સંદિપભાઈ જગદિશભાઈ શેરસીયાએ સામાવાળા મોરબીના જ વતની અનિલ માવજીભાઈ ડાભીને સપ્ટેમ્બર, ૨૦૨૨ માં હાથ ઉછીના પેટે રૂા.૫,૦૦,૦૦૦ આપ્યા હતા અને આ રકમ પરત ચૂકવવા માટે સામેવાળા અનિલ માવજીભાઈ ડાભીએ રૂા. ૫,૦૦,૦૦૦ નો ચેક ફરીયાદીને આપ્યો હતો.જે ચેક ફરીયાદીએ નાણા વસુલવા પોતાના ખાતામાં રજુ કરતા, ચેક વણચૂકવ્યે પરત થતાં, ફરીયાદી સુનિલભાઇએ અનિલ માવજીભાઈ ડાભીને નોટિસ આપેલ છતા તેણે ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા અંતે ફરીયાદી સંદિપભાઈએ અનિલ માવજીભાઈ ડાભી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એસ.એ.મેમણ સાહેબે અનિલ માવજીભાઈ ડાભીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચૂકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનિષ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલા હતા




Latest News