મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને સહાય આપવા માટેની માંગ કરી હતી.

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સરકારની નીતિરીતિ સામે પ્રહાર કરીને કહ્યું હતું કે, કુદરતી આફતમાં ખેડૂતોને નુકશાન થયું છે તે જગ જાહેર છે તો પછી સર્વે કરીને સહાય આપવામાં વિલંબ કરવાના બદલે તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં કિશોરભાઇએ જણાવ્યુ હતું કે, વર્ષ 2008માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા ખેડૂતોના ધીરાણ માફ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે હાલમાં ખેડૂતો ઉપર કુદરતી આફત આવી પડી છે ત્યારે ખેડૂતોનું ધીરાણ માફ કરવું જોઈએ. અને સર્વેની પ્રક્રિયા વિના ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News