મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને સહાય આપવા માટેની માંગ કરી હતી.

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સરકારની નીતિરીતિ સામે પ્રહાર કરીને કહ્યું હતું કે, કુદરતી આફતમાં ખેડૂતોને નુકશાન થયું છે તે જગ જાહેર છે તો પછી સર્વે કરીને સહાય આપવામાં વિલંબ કરવાના બદલે તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં કિશોરભાઇએ જણાવ્યુ હતું કે, વર્ષ 2008માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા ખેડૂતોના ધીરાણ માફ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે હાલમાં ખેડૂતો ઉપર કુદરતી આફત આવી પડી છે ત્યારે ખેડૂતોનું ધીરાણ માફ કરવું જોઈએ. અને સર્વેની પ્રક્રિયા વિના ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર આપવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News