મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી


SHARE













હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી

હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરમાંથી ફેણો, છતરો સહિત કુલ મળીને બે કિલો ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મંદિરના સેવા પૂજા કરતા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (25)એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદાના મંદિરમાં તે સેવા પૂજા કરે છે અને આ મંદિરમાં અલગ અલગ ચાંદીની ફેણો તથા છત્તરો મુકવામાં આવ્યા હતા જેનો અંદાજિત વજન બે કિલો જેટલો હતો તે ચાંદીના ફેણો તથા છતરોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 80,000 ની કિંમત ના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News